Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રમાં ભાજપ મંત્રી સહિત 53 મળીને ખેડૂતોનું 9 કરોડનું કરી નાખ્યાના આરોપ

મહારાષ્ટ્રમાં ભાજપ મંત્રી સહિત 53 મળીને ખેડૂતોનું 9 કરોડનું કરી નાખ્યાના આરોપ

Published : 30 April, 2025 03:46 PM | Modified : 01 May, 2025 06:44 AM | IST | Ahilyanagar
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લામાં જમીન ધરાવતાં ખેડૂતોના નામે નકલી દસ્તાવેજોના આધારે લગભગ ₹9 કરોડની લોન મેળવવામાં આવી હોવાના આરોપમાં મહારાષ્ટ્રના ભાજપ મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલ અને અન્ય 53 લોકો સામે ફ્રોડનો - છેતરપીંડીનો ગુનો નોંધાયો છે.

ભાજપ મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલ

ભાજપ મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલ


મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લામાં જમીન ધરાવતાં ખેડૂતોના નામે નકલી દસ્તાવેજોના આધારે લગભગ ₹9 કરોડની લોન મેળવવામાં આવી હોવાના આરોપમાં મહારાષ્ટ્રના ભાજપ મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલ અને અન્ય 53 લોકો સામે ફ્રોડનો - છેતરપીંડીનો ગુનો નોંધાયો છે.

આ મામલામાં, પદ્મશ્રી વિખે પાટીલ સહકારી શુગર ફેક્ટરીના તત્કાલીન અધ્યક્ષ અને નિર્દેશકો સાથે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ ઇન્ડિયા જેવી બેંકોના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. આરોપ મુજબ વર્ષ 2004માં મિલના તત્કાલીન અધ્યક્ષ અને તંત્રના લોકો દ્વારા મિલના સભ્ય હોય એવા ખેડૂતોના નામે નકલી દસ્તાવેજો તૈયાર કરી બેંકોમાંથી રૂ. 3.11 કરોડ અને રૂ. 5.74 કરોડની લોન મેળવી હતી.

મહારાષ્ટ્રના અહમદનગર (હવે અહિલ્યાનગર) જિલ્લામાં રાજ્યના જળ સંસાધન મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટિલ અને અન્ય 53 લોકો સામે છેતરપિંડી અને બનાવટીનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહી કોર્ટના આદેશ પર કરવામાં આવી છે, જેમાં આરોપ છે કે 2004 થી 2006ની વચ્ચે, બે રાષ્ટ્રીયકૃત બેંકોના અધિકારીઓ સાથે મળીને, તેમણે ગેરકાયદેસર રીતે 8 કરોડ રૂપિયાથી વધુની લોન મેળવી હતી.



ખાંડ ફેક્ટરી અને બૅન્ક્ના અધિકારીઓ પણ ફસાયા
એફઆઈઆરમાં ભાજપના નેતા રાધાકૃષ્ણ વિખે પાટિલ ઉપરાંત, પદ્મશ્રી વિખે પાટિલ સહકારી ખાંડ ફેક્ટરીના સંબંધિત બેંકોના તત્કાલીન ડિરેક્ટર, ચેરમેન અને અધિકારીઓના નામ પણ છે. એવો આરોપ છે કે આ બધાએ મળીને દસ્તાવેજોમાં છેડછાડ કરીને બેંક પાસેથી લોન મંજૂર કરાવી હતી અને આ રકમનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.


કોર્ટના આદેશ પર કાર્યવાહી
કોર્ટના હસ્તક્ષેપ બાદ આ કેસ સીધો નોંધવામાં આવ્યો છે. ફરિયાદીઓએ કોર્ટમાં અરજી કરી હતી કે સરકારી તંત્ર અને બેંક અધિકારીઓ આ કૌભાંડમાં મિલીભગત કરી રહ્યા છે અને ખોટા દસ્તાવેજોના આધારે લોન આપવામાં આવી છે. કોર્ટે તપાસનો આદેશ આપ્યો અને ત્યારબાદ FIR નોંધવામાં આવી.

મંત્રીનું મૌન ઉભા કરે છે પ્રશ્નો
જ્યારે મીડિયાએ આ મામલે જળ સંસાધન મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટિલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે ફોન કોલ્સ અને સંદેશાઓનો જવાબ આપ્યો ન હતો. તેમના મૌનથી પ્રશ્નો ઉભા થયા છે અને રાજકીય વર્તુળોમાં આ મુદ્દા પર ચર્ચાઓ તેજ બની છે.


આ ફરિયાદ શેરદાર ખેડૂત બાલાસાહેબ વિખે દ્વારા કરવામાં આવી હતી, જેમણે આરોપ મૂક્યો કે જેમના નામે લોન લેવામાં આવી હતી એ ખેડૂતોના ખાતમાં લોનના પૈસા જમા કરવામાં આવ્યા ન હતા, પરંતુ મિલના અને બેંકના અધિકારીઓએ જાતે પૈસા ઉપાડી લીધા. આરોપીઓએ ત્યાર પછી સરકારી કૃષિ લોન માફી યોજના હેઠળ પણ ફાયદો ઉઠાવ્યો હતો.

ફરિયાદ દાયકાની જૂની હોવા છતાં, હાલ રાહતા કોર્ટ દ્વારા પોલીસને દંડ વિધિ સંહિતા કલમ 156(3) હેઠળ તપાસ શરૂ કરવા આદેશ મળ્યા બાદ લોની પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

આ કેસ સામે આવી પડ્યા બાદ શિવસેના (UBT) પ્રવક્તા સુષમા અંધારેએ તીખા પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, "મહાયુતિ સરકાર માટે આ અત્યંત શરમજનક ઘટના છે અને મુખ્યમંત્રીએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર વિખે પાટીલનું રાજીનામું માગવું જોઈએ."

આ મામલો રાજકીય ગરમાવો પકડી રહ્યો છે અને ભવિષ્યમાં વધુ તપાસ થવાની શક્યતા છે.

 

Whatsapp-channel Whatsapp-channel

01 May, 2025 06:44 AM IST | Ahilyanagar | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK