Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાણેભાઈઓની ખેંચતાણ વચ્ચે એકનાથ શિંદે નારાયણ રાણેને ઘરે જઈને મળ્યા

રાણેભાઈઓની ખેંચતાણ વચ્ચે એકનાથ શિંદે નારાયણ રાણેને ઘરે જઈને મળ્યા

Published : 01 December, 2025 09:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BJPના નેતાઓ મતદારોમાં પૈસા વહેંચીને મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે એવા આરોપ સાથે નીલેશ રાણેએ BJPના પદાધિકારીના ઘરે જઈને છાપો માર્યો હતો

એકનાથ શિંદે, નારાયણ રાણે

એકનાથ શિંદે, નારાયણ રાણે


ભારતીય જનતા પાર્ટી (BJP)ના નીતેશ રાણે અને શિવસેના (એકનાથ શિંદે)ના નીલેશ રાણે બન્ને સગા ભાઈ વચ્ચેનો રાજકીય વિવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે. આવા સમયમાં રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદે ગઈ કાલે માલવણમાં આયોજિત સભામાં ભાષણ આપતાં પહેલાં નારાયણ રાણેને તેમના ઘરે જઈને મળ્યા હતા. એ વખતે તેમની સાથે નીલેશ રાણે પણ હતા. 

BJPના નેતાઓ મતદારોમાં પૈસા વહેંચીને મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે એવા આરોપ સાથે નીલેશ રાણેએ BJPના પદાધિકારીના ઘરે જઈને છાપો માર્યો હતો. આ ઘટનાને લીધે આ વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાઈ ગયો હતો અને BJPના પદાધિકારીએ નીલેશ રાણે વિરુદ્ધ ઘરમાં ટ્રેસપાસિંગ-ઘૂસણખોરીની ફરિયાદ કરતાં તેમની સામે પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

01 December, 2025 09:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK