Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઉદ્ધવ ઠાકરેને તો સતત ટોણા મારવાની આદત છે

ઉદ્ધવ ઠાકરેને તો સતત ટોણા મારવાની આદત છે

27 December, 2022 09:35 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિધાન પરિષદમાં હાજર રહેલા શિવસેનાપ્રમુખે કર્ણાટક સીમાવિવાદ સહિતના મુદ્દે સરકારને નિશાન બનાવી ત્યારે જોરદાર ટીકા કરી

ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર

ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર


નાગપુરમાં ચાલી રહેલા રાજ્યના શિયાળુ અધિવેશનમાં ગઈ કાલે પહેલી વખત શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરે હાજર રહ્યા હતા. તેમણે કર્ણાટક સાથે ચાલી રહેલા સીમાવિવાદ સહિત સરકારને અનેક પ્રશ્ને નિશાના પર લઈને જોરદાર ટીકા કરતું ભાષણ કર્યું હતું. જવાબમાં એકનાથ શિંદે જૂથના વિધાનસભ્ય સંજય શિરસાટે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેને ટોણા મારવાની આદત પડી ગઈ છે એટલે તેમને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી.

નાગપુરમાં ચાલી રહેલા શિયાળુ સત્રમાં પહેલી વખત હાજર રહેલા શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પેનડ્રાઇવ લઈને પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે ‘વિરોધ પક્ષમાં હોઈએ ત્યારે પેનડ્રાઇવ લાવવું પડે. રાજ્ય સરકાર કર્ણાટક સીમાવિવાદ બાબતે ચૂપ કેમ છે અને સત્ર ચાલી રહ્યું છે ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અચાનક દિલ્હી કેમ જતા રહ્યા?’



જવાબમાં એકનાથ શિંદે જૂથના વિધાનસભ્ય સંજય શિરસાટે કહ્યું કે ‘ઉદ્ધવ ઠાકરેને ટોણા મારવાની આદત પડી ગઈ છે એટલે તેમણે ટોણા માર્યા હશે. તેમને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અત્યારે હાજર નથી એટલે ઠરાવ એકાદ-બે દિવસમાં રજૂ કરવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

27 December, 2022 09:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK