અજિત પવારે રાજ્યની કોરોનાની સ્થિતિ અને પ્રતિબંધ બાબતે પત્રકારો સાથેની વાતચીતમાં ટીવી-ચૅનલોના કાન આમળ્યા
અજિત પવાર
મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારે વીક-એન્ડ લૉકડાઉનની જાહેરાત કરી છે ત્યારે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અને મુકાયેલા કડક પ્રતિબંધ બાબતે ટીવી-ચૅનલોના કાન આમળતાં કહ્યું હતું કે ‘લોકો કહે છે કે પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને કેરલામાં ચૂંટણી છે ત્યાં પણ ગિરદી થાય છે તો મહારાષ્ટ્રમાં ચૂંટણી શા માટે નહીં? આથી ટીવી-ચૅનલવાળાઓએ દેશનાં બીજાં સ્થળોની ગિરદીના વિડિયો મહારાષ્ટ્રમાં બતાવવા ન જોઈએ.’
અજિત પવારે કહ્યું હતું કે ‘બીજાં રાજ્યોમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે, ગિરદી થઈ રહી છે એ તમે લોકોને બતાવી રહ્યા છો. ત્યાં લોકોની ભીડ જામે છે તો અહીં કેમ નહીં? આથી જ્યાં સુધી બીજાં રાજ્યોમાં ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી ત્યાંના શૉટ આખા મહારાષ્ટ્રમાં ન બતાવો. ત્યાં ચૂંટણી છે એટલે આવું થશે, પરંતુ ચૂંટણી પૂરી થયા બાદ એ રાજ્યોમાં પણ કડક નિયમો લાગુ કરાશે.’
ADVERTISEMENT
નાયબ મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે ‘આજે રવિવાર છે અને બેઠક છે એ તમને કોઈએ કહ્યું હતું? આમ છતાં તમે અહીં આવ્યા. મને આજે બપોરે મુખ્ય પ્રધાનનો ફોન આવ્યો અને તેમણે તાત્કાલિક બેઠક બોલાવવી પડી રહી છે એમ કહ્યું હતું. તરત જ તમે ૧૦-૨૦ કૅમેરા લઈને આવી ગયાને. તમે ૧૦-૨૦ લોકો અને તમારી સાથેના કેટલાક લોકો આવી રીતે ભેગા થાય છે. અમને લૉકડાઉન કરવાનું પસંદ નથી, પરંતુ આટલા દિવસથી આપણે સતત બધાને કહીએ છીએ કે કાળજી રાખો. દરેકે નિયમોનું પાલન કરવું જોઈએ. કડક પ્રતિબંધ મૂકવાનો સમય આવવા ન દો. ’