Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આરટીઓની ઝુંબેશને કારણે જીવલેણ અકસ્માતમાં થયો ૩૦ ટકાનો ઘટાડો

આરટીઓની ઝુંબેશને કારણે જીવલેણ અકસ્માતમાં થયો ૩૦ ટકાનો ઘટાડો

Published : 16 March, 2023 11:24 AM | IST | Mumbai
Rajendra B Aklekar

હેલ્મેટ વગર, લેન-કટિંગ, રૉન્ગ સાઇડ ડ્રાઇવિંગ અને ગેરકાયદે પાર્કિંગ સહિત તમામ પ્રકારના ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર સામે પગલાં લેવાને કારણે મુંબઈ-પુણે હાઇવે પર જોવા મળ્યું આ પરિણામ

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મુંબઈ-પુણે જૂના હાઇવે અને એક્સપ્રેસવે પર આરટીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી ઝુંબેશને પરિણામે ગયા વર્ષની સરખામણી જીવલેણ માર્ગ-અકસ્માતમાં ગયા વર્ષની સરખામણીમાં છેલ્લા ત્રણ મહિનામાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે. ડિસેમ્બર ૨૦૨૨માં શરૂ કરવામાં આવેલું અભિયાન છ મહિના સુધી ચાલશે. એમાંથી ત્રણ મહિના થઈ ગયા છે. ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ કમિશનર (રોડ સેફ્ટી સેલ) અને ટ્રાન્સપોર્ટ ઑફિસર ભરત કાળસકરે કહ્યું હતું કે ‘પહેલી ડિસેમ્બરથી અમે હેલ્મેટ વગર, લેન-કટિંગ, રૉન્ગ સાઇડ ડ્રાઇવિંગ અને ગેરકાયદે પાર્કિંગ સહિત તમામ પ્રકારના ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર સામે પગલાં લેવા માટે પૂરતા સ્ટાફ સાથે ૨૪ કલાકનું અભિયાન છેડ્યું હતું. એ માટે મુંબઈથી ૩૦ કર્મચારીઓ, પનવેલ, પુણે અને પિમ્પરી-ચિંચવડ આરટીઓ ઑફિસને કામે લગાવીને ૧૨ સ્ક્વૉડ બનાવી હતી. એમાંથી છ સ્ક્વૉડને એક્સપ્રેસવે અને હાઇવે પર તહેનાત કરાઈ હતી. અમે જે સિદ્ધિ મેળવી એ મહત્ત્વની હતી. આંકડાઓ જ એ વાતની સાક્ષી પૂરે છે. ૨૦૨૨ના જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમ્યાન ૨૧ જીવલેણ અકસ્માતોમાં ૩૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા તો હાલ ૨૦૨૩માં જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમ્યાન જીવલેણ અકસ્માતની સંખ્યા ઘટીને ૧૪ તેમ જ મરણાંક પણ ૧૪ થયો હતો. એમ ગયા વર્ષ કરતાં અકસ્માતની સંખ્યામાં ૩૩ ટકાનો તેમ જ જીવલેણ ઘટનાઓમાં ૫૫ ટકાનો ફરક પડ્યો છે.’

આ આંકડાઓ પિમ્પરી-ચિંચવડ અને પનવેલ આરટીઓના છે. સામાન્ય રીતે એકસપ્રેસવે પર હાઇવે પોલીસ તહેનાત રખાય છે, પણ પહેલી વખત હાઇવે પોલીસ સાથે આરટીઓની ટુક્ડીઓ પણ હતી. 



શું કામ કરવામાં આવી રહ્યું છે ?
અધિકારીએ કહ્યું હતું કે ‘અમારા દ્વારા બ્લૅક સ્પૉટ્સને હટાવવા, જ્યાં વધુ પ્રમાણમાં અકસ્માત થાય એ જગ્યાનો અભ્યાસ કરવો અને ત્યાં બૅનરો લગાવવા, હાઇવે પર થતા ગેરકાયદે પાર્કિંગ, હેલ્મેટ વગર અને સીટ-બેલ્ટ વગર જતા વાહનચાલકો, ભારે વાહનો દ્વારા લેનનો ખોટો ઉપયોગ અને લેન-કટિંગને ઓછું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.’ 


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2023 11:24 AM IST | Mumbai | Rajendra B Aklekar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK