Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આંગડિયા પાસે ખંડણીની માગણીના કેસમાં સસ્પેન્ડ થયેલા ડીસીપી સૌરભ ત્રિપાઠીની જામીનઅરજી કોર્ટે ફગાવી

આંગડિયા પાસે ખંડણીની માગણીના કેસમાં સસ્પેન્ડ થયેલા ડીસીપી સૌરભ ત્રિપાઠીની જામીનઅરજી કોર્ટે ફગાવી

Published : 31 March, 2022 10:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસ કમિશનરે આક્ષેપોની તપાસ કરવા માટે ઍડિશનલ કમિશનર (સાઉથ રિજન) દિલીપ સાવંતની નિમણૂક કરી હતી

ડીસીપી સૌરભ ત્રિપાઠી

ડીસીપી સૌરભ ત્રિપાઠી


કોર્ટે આંગડિયા ખંડણી કેસના આરોપી અને સસ્પેન્ડ કરાયેલા મુંબઈ પોલીસના ભૂતપૂર્વ ડીસીપી સૌરભ ત્રિપાઠીની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી છે.


ગયા ડિસેમ્બર મહિનામાં આંગડિયા પેઢીએ મુંબઈના તત્કાલીન પોલીસ કમિશનર હેમંત નગરાળેનો સંપર્ક કરીને ઝોન-૨ના તત્કાલીન ડીસીપી સૌરભ ત્રિપાઠીએ તેમને વ્યવસાય ચલાવવાની છૂટ આપવા માટે માસિક ૧૦ લાખ રૂપિયાની માગણી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસ કમિશનરે આક્ષેપોની તપાસ કરવા માટે ઍડિશનલ કમિશનર (સાઉથ રિજન) દિલીપ સાવંતની નિમણૂક કરી હતી.



દિલીપ સાવંતની ફરિયાદ પર એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં ખંડણીની ફરિયાદ દાખલ કરાઈ હતી, જેને પગલે પોલીસ સ્ટેશનના ત્રણ અધિકારીઓ ઇન્સ્પેક્ટર ઓમ વાંગટે, એપીઆઇ નીતીન કદમ અને પીએસઆઇ સમાધાન જમદાડેની ધરપકડ કરાઈ હતી. તપાસ બાદ ડીસીપીને આરોપી બનાવાયા હતા.


૨૦૧૯ના બૅચના આઇપીએસ અધિકારી સૌરભ ત્રિપાઠી એમબીબીએસ અને એમડી (ડર્મેટોલૉજી) પણ છે અને મુંબઈની નાયર હૉસ્પિટલમાં તેમણે અભ્યાસ કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2022 10:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK