Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઇન્દ્રાણી મુખરજી પરની સિરીઝ રિલીઝ ન કરવા દેવાની અરજી લઈને સીબીઆઇ કોર્ટમાં પહોંચી

ઇન્દ્રાણી મુખરજી પરની સિરીઝ રિલીઝ ન કરવા દેવાની અરજી લઈને સીબીઆઇ કોર્ટમાં પહોંચી

Published : 22 February, 2024 09:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શોની રિલીઝ પર રોક લગાવવાની સીબીઆઇની અરજી મંગળવારે સ્પેશ્યલ કોર્ટે ફગાવી દીધી હતી

ધ ઇન્દ્રાણી મુખરજી સ્ટોરી : ધ બેરીડ ટ્રુથ’

ધ ઇન્દ્રાણી મુખરજી સ્ટોરી : ધ બેરીડ ટ્રુથ’


મુંબઈ : પોતાની પુત્રી શીના બોરાના મર્ડરકેસમાં ટ્રાયલનો સામનો કરી રહેલી ઇન્દ્રાણી મુખરજી પરની ડૉક્યુમેન્ટરી સિરીઝની રિલીઝ પર રોક લગાવવાની માગ કરતી અરજી લઈને સીબીઆઇ બુધવારે બૉમ્બે હાઈ કોર્ટ પહોંચી હતી. ‘ધ ઇન્દ્રાણી મુખરજી સ્ટોરી : ધ બેરીડ ટ્રુથ’ નામની ડૉક્યુ-સિરીઝ ૨૩ ફેબ્રુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. શોની રિલીઝ પર રોક લગાવવાની સીબીઆઇની અરજી મંગળવારે સ્પેશ્યલ કોર્ટે ફગાવી દીધી હતી, જેથી એજન્સી બૉમ્બે હાઈ કોર્ટમાં પહોંચી હતી. સીબીઆઇનું કહેવું છે કે જ્યાં સુધી ટ્રાયલ પૂરી ન થાય ત્યાં સુધી આ સિરીઝ રિલીઝ ન કરવી જોઈએ, કારણ કે આ કેસમાં જે સાક્ષીઓની હજી જુબાની આપવાની બાકી છે તેઓ સિરીઝ જોઈને પ્રભાવિત થઈ શકે છે. સીબીઆઇ ઇન્દ્રાણી મુખરજીને આપવામાં આવેલા જામીન રદ કરવા માટે અરજી દાખલ કરવાનું પણ વિચારી રહી છે, કારણ કે તે સાક્ષીઓને પ્રભાવિત ન કરવા માટે તેના પર લાદવામાં આવેલી શરતોનો ભંગ કરી રહી છે. નેટફ્લિક્સ તરફથી હાજર વરિષ્ઠ વકીલ રવિ કદમે દલીલ કરી હતી કે આ કેસની તમામ વિગતો પહેલેથી જ સાર્વજનિક ડોમેઇનમાં ઉપલબ્ધ છે અને ઇન્દ્રાણીએ પોતે એક પુસ્તક લખ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2024 09:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK