Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવમા અને ૧૧મા ધોરણના વિદ્યાર્થીઓ પરીક્ષા વગર જ પાસ

નવમા અને ૧૧મા ધોરણના વિદ્યાર્થીઓ પરીક્ષા વગર જ પાસ

08 April, 2021 10:04 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘મિડ-ડે’ દ્વારા આ રીતનો નિર્ણય થઈ શકે એવી આશંકા દર્શાવાઈ હતી જે હવે સાચી પડી છે

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


કોરોનાના વધી રહેલા કેસને જોતાં રાજ્ય સરકારે ગઈ કાલે એક મહત્ત્વનો નિર્ણય લીધો હતો. એ અનુસાર નવમા ધોરણ અને ૧૧મા ધોરણના વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વગર જ પાસ જાહેર કરી તેમને આગળના ધોરણમાં પ્રમોટ કરવામાં આવશે. ‘મિડ-ડે’ દ્વારા આ રીતનો નિર્ણય થઈ શકે એવી આશંકા દર્શાવાઈ હતી જે હવે સાચી પડી છે. જોકે ૧૦મા અને ૧૨માની પરીક્ષા ઑફલાઇન જ લેવાશે અને એનું ટાઇમટેબલ ટૂંક સમયમાં જાહેર કરાશે એમ સરકારે જણાવ્યું હતું. 

બે દિવસ પહેલાં જ રાજ્ય સરકારે ૧થી ૮ ધોરણના વિદ્યાર્થીઓને પણ પરીક્ષા વગર જ પ્રમોટ કરવાનો નિર્ણય લીધો હતો, પણ ૧૦મું અને ૧૨મું ધોરણ મહત્ત્વનાં હોવાથી નવમા અને ૧૧મા ધોરણના વિદ્યાર્થીઓને પણ એ જ રીતે પ્રમોટ કરવા કે નહીં એ વિશે મતમતાંતર હતા, પણ હવે એ વિશે પણ નિર્ણય લેવાઈ જતાં વિદ્યાર્થીઓ અને વાલીઓનું ટેન્શન ઓછું થયું છે અને તેમણે ૧૦મા અને ૧૨માની તૈયારીઓ ચાલુ કરી દીધી છે.   


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2021 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK