બપોરના ત્રણ વાગ્યાથી રાતના પોણાબાર વાગ્યા સુધી કેટલાક રોડ વન-વે કર્યા છે
ફાઇલ તસવીર
વાનખેડેમાં આજે ઇન્ડિયા-શ્રીલંકા વચ્ચે ટી૨૦ મૅચ હોવાથી અનેક મુંબઈગરા ત્યાં આવવાની શક્યતા છે. એની સાથે મોટા પ્રમાણમાં વેહિકલ્સ પણ આવવાની શક્યતા હોવાથી ટ્રાફિક જૅમ ન સર્જાય એ માટે ડેપ્યુટી પોલીસ કમિશનર (સાઉથ) ટ્રાફિક ગૌરવ સિંહે નોટિફિકેશન બહાર પાડી બપોરના ત્રણ વાગ્યાથી રાતના પોણાબાર વાગ્યા સુધી કેટલાક રોડ વન-વે કર્યા છે, જ્યારે કેટલાકને ડાયવર્ટ કરાયા છે. ચર્ચગેટ પાસેના ‘ડી’ રોડને વેસ્ટ-ઈસ્ટ વન-વે કરાયો છે, જ્યારે ‘સી’ રોડને ઈસ્ટ-વેસ્ટ વન-વે કરાયો છે. જ્યારે ‘ઈ’ રોડની સાઉથ બાઉન્ડ લેનને ‘ડી’ અને ‘સી’ રોડના જંક્શન સુધી દરેક પ્રકારનાં વાહનો માટે વન-વે કરવામાં આવ્યો છે.