Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આજે વાનખેડેમાં મૅચ હોવાથી ટ્રાફિક ડાયવર્ઝન

આજે વાનખેડેમાં મૅચ હોવાથી ટ્રાફિક ડાયવર્ઝન

03 January, 2023 03:01 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બપોરના ત્રણ વાગ્યાથી રાતના પોણાબાર વાગ્યા સુધી કેટલાક રોડ વન-વે કર્યા છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


વાનખેડેમાં આજે ઇન્ડિયા-શ્રીલંકા વચ્ચે ટી૨૦ મૅચ હોવાથી અનેક મુંબઈગરા ત્યાં આવવાની શક્યતા છે. એની સાથે મોટા પ્રમાણમાં વેહિકલ્સ પણ આવવાની શક્યતા હોવાથી ટ્રાફિક જૅમ ન સર્જાય એ માટે ડેપ્યુટી પોલીસ કમિશનર (સાઉથ) ટ્રાફિક ગૌરવ સિંહે નોટિફિકેશન બહાર પાડી બપોરના ત્રણ વાગ્યાથી રાતના પોણાબાર વાગ્યા સુધી કેટલાક રોડ વન-વે કર્યા છે, જ્યારે કેટલાકને ડાયવર્ટ કરાયા છે. ચર્ચગેટ પાસેના ‘ડી’ રોડને વેસ્ટ-ઈસ્ટ વન-વે કરાયો છે, જ્યારે ‘સી’ રોડને ઈસ્ટ-વેસ્ટ વન-વે કરાયો છે. જ્યારે ‘ઈ’ રોડની સાઉથ બાઉન્ડ લેનને ‘ડી’ અને ‘સી’ રોડના જંક્શન સુધી દરેક પ્રકારનાં વાહનો માટે વન-વે કરવામાં આવ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

03 January, 2023 03:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK