Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ ઍરપોર્ટ પર વ્હીલચૅર ન મળે?

મુંબઈ ઍરપોર્ટ પર વ્હીલચૅર ન મળે?

Published : 22 April, 2025 10:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૉમ્બે હાઈ કોર્ટે ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન પાસેથી જવાબ માગ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બૉમ્બે હાઈ કોર્ટે ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA) પાસે ઍરપોર્ટ પર વ્હીલચૅર જેવી સામાન્ય સુવિધા ઉપલબ્ધ ન હોવાની બાબતે જવાબ માગ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનો માટે ઍરપોર્ટ પર યોગ્ય સુવિધા હોવી જ જોઈએ, કારણ કે એ માનવીની જિંદગી સાથે જોડાયેલા પ્રશ્નો છે. જસ્ટિસ જી. એસ. કુલકર્ણી અને અદ્વૈત સેઠનાની ખંડપીઠે ઍરપોર્ટ પર યોગ્ય સુવિધાઓ ન હોવાની બે જુદી-જુદી અરજીઓ પર સુનાવણી કરતાં જણાવ્યું હતું કે ‘પ્રાથમિક સુવિધાઓની ઉપલબ્ધિ બાબતે ઍરપોર્ટ મૅનેજમેન્ટ અને દરેક ઍરલાઇન્સે સંવેદનશીલ બનવું જોઈએ. માનવજીવનની કાળજી રાખવી જોઈએ. એક પણ મુસાફરને હાલાકી ભોગવવી ન પડે અને દેશમાં તમામ ઍરલાઇન્સ હાઇએસ્ટ ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડનું પાલન કરે એ જરૂરી છે.’

મુંબઈના આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર વ્હીલચૅરની સુવિધા ન હોવાની બાબતે એક અરજદારે જણાવ્યું હતું કે તેમની દીકરીને ઍક્યુટ આર્થ્રાઇટિસ હોવાને કારણે ૮૧ વર્ષનાં એક મહિલાએ તેમની વ્હીલચૅર આ દીકરીને આપવી પડી હતી, કારણ કે ઍરપોર્ટ પર બીજી વ્હીલચૅર ઉપલબ્ધ નહોતી. આના જવાબમાં DGCAએ વ્હીલચૅરના ઓવરબુકિંગનું બહાનું આગળ ધર્યું હતું, પરંતુ અદાલતે એને માન્ય ન રાખતાં આવી નિષ્કાળજી માટે ઍરલાઇન્સને ભારે પેનલ્ટી ફટકારવાનું સૂચન કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2025 10:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK