Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પતંજલિને ટ્રેડમાર્કના ઉલ્લંઘનના કેસમાં ચાર કરોડ રૂપિયાનો દંડ

પતંજલિને ટ્રેડમાર્કના ઉલ્લંઘનના કેસમાં ચાર કરોડ રૂપિયાનો દંડ

Published : 30 July, 2024 01:51 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક ઍફિડેવિટમાં પતંજલિએ કોર્ટમાંથી બિનશરતી માફી માગી લીધી હતી અને ભવિષ્યમાં કોર્ટના આદેશનું પાલન કરવાની ખાતરી આપી હતી.

બૉમ્બે હાઈ કોર્ટ

બૉમ્બે હાઈ કોર્ટ


બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે યોગગુરુ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ કંપનીને એક વચગાળાના આદેશના ઉલ્લંઘનના કેસમાં ચાર કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ વચગાળાના આદેશમાં પતંજલિ આયુર્વેદને એનાં કપૂર સંબંધિત ઉત્પાદનોને વેચવાની મનાઈ કરવામાં આવી હતી. આ કેસ મંગલમ ઑર્ગેનિક્સ સાથે ચાલી રહેલા ટ્રેડમાર્કના ઉલ્લંઘનને લગતો છે. બૉમ્બે હાઈ કોર્ટમાં જસ્ટિસ આર. આઇ. ચાગલાએ મંગલમ ઑર્ગેનિક્સની વચગાળાની અરજી પર આ દંડ ફટકાર્યો હતો. આ પહેલાં ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં પતંજલિને એનાં કપૂર સંબંધિત ઉત્પાદનો વેચવા પર રોક લગાવી હતી. એ સમયે કોર્ટે પતંજલિ આયુર્વેદને કોર્ટમાં પચાસ લાખ રૂપિયા ભરી દેવા આદેશ આપ્યો હતો જે પતંજલિએ ભરી દીધા હતા. એક ઍફિડેવિટમાં પતંજલિએ કોર્ટમાંથી બિનશરતી માફી માગી લીધી હતી અને ભવિષ્યમાં કોર્ટના આદેશનું પાલન કરવાની ખાતરી આપી હતી. આમ છતાં પતંજલિ આયુર્વેદ એનાં કપૂરનાં ઉત્પાદનોનું વેચાણ ચાલુ રાખતાં મંગલમ ઑર્ગેનિક્સે ટ્રેડમાર્કના ઉલ્લંઘન મુદ્દે વચગાળાની અરજી કરી હતી. એણે જણાવ્યું હતું કે ખાતરી આપવા છતાં પતંજલિ આયુર્વેદ કપૂરનાં ઉત્પાદનો દુકાનોમાં અને ઑનલાઇન વેચી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2024 01:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK