Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવ વર્ષમાં બાઇક-અકસ્માતોમાં ૧૧૮ ટકાનો થયો જબ્બર વધારો

નવ વર્ષમાં બાઇક-અકસ્માતોમાં ૧૧૮ ટકાનો થયો જબ્બર વધારો

29 December, 2011 05:10 AM IST |

નવ વર્ષમાં બાઇક-અકસ્માતોમાં ૧૧૮ ટકાનો થયો જબ્બર વધારો

નવ વર્ષમાં બાઇક-અકસ્માતોમાં ૧૧૮ ટકાનો થયો જબ્બર વધારો


 

૨૦૦૧થી ૨૦૦૯ દરમ્યાન આવા અકસ્માતોમાં થયેલા મૃત્યુની સંખ્યામાં ૧૩૧ ટકાનો વધારો થયો છે. મુંબઈની ટ્રાફિક-પોલીસ પાસેથી આરટીઆઇ (રાઇટ ટુ ઇન્ફર્મેશન ) ઍક્ટ હેઠળ મેળવેલી માહિતી મુજબ ૨૦૦૧માં બાઇક-ઍક્સિડન્ટના ૩૮ બનાવોમાં ૩૮ લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ૨૦૦૯માં બાઇક-અક્સ્માતના ૮૮ બનાવોમાં ૮૩ લોકોનાં મૃત્યુ થયાં હતાં. વળી આ જ આંકડા મુજબ જાન્યુઆરી ૨૦૦૨થી માર્ચ ૨૦૧૦ દરમ્યાન સરેરાશ ૭૨ લોકો બાઇક-અકસ્માતને કારણે માર્યા ગયા હતા.

આરટીઆઇ ઍક્ટિવિસ્ટ વિહાર દુર્વેના મતે મોટા ભાગના અકસ્માતમાં બાઇકચાલકની બેજવાબદારી કારણભૂત છે. લોકોમાં ટ્રાફિક-સેન્સ વધે એ માટે જાગૃતિ-અભિયાન ચલાવવામાં આવે છે, પરંતુ મૃત્યુઆંક જોતાં અપૂરતું જ લાગે છે.


Whatsapp-channel Whatsapp-channel

29 December, 2011 05:10 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK