Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નીતિન દેસાઈના સુસાઇડને દિવસ ૪૦, અરેસ્ટ ઝીરો

નીતિન દેસાઈના સુસાઇડને દિવસ ૪૦, અરેસ્ટ ઝીરો

14 September, 2023 10:20 AM IST | Mumbai
Anurag Kamble | anurag.kamble@mid-day.com

રાયગડ પોલીસનાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે કોઈ પણ શંકાસ્પદ ઘરે નહોતા

૨૦૦૭ની ૧૮ જુલાઈએ કર્જતના સ્ટુડિયોમાં નીતિન દેસાઈનો ફાઇલ-ફોટોગ્રાફ (તસવીર : નિમેશ દવે)

૨૦૦૭ની ૧૮ જુલાઈએ કર્જતના સ્ટુડિયોમાં નીતિન દેસાઈનો ફાઇલ-ફોટોગ્રાફ (તસવીર : નિમેશ દવે)


જાણીતા આર્ટ-ડિરેક્ટર નીતિન દેસાઈને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા બદલ એડલવાઇસ એઆરસીના કર્મચારીઓ સામે એફઆઇઆર દાખલ કર્યાના ૪૦ દિવસ વીતી ગયા હોવા છતાં આ મામલે હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. રાયગડ પોલીસનાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે કોઈ પણ શંકાસ્પદ ઘરે નહોતા. વળી તેમના ફોન પણ સ્વિચ્ડ-ઑફ આવતા હતા.

આરોપીઓએ તેમની વિરુદ્ધ કરવામાં આવેલા એફઆઇઆરને હટાવવા માટે હાઈ કોર્ટમાં અરજી કરી છે, પરંતુ એમાં તેમને કોઈ રાહત હાલ પૂરતી મળી નથી. જોકે કાયદાકીય નિષ્ણાતોએ જણાવ્યા પ્રમાણે વધુ વિલંબને કારણે કેસ નબળો થઈ જશે. ૫૮ વર્ષના નીતિન દેસાઈએ આ વર્ષે બીજી ઑગસ્ટે એનડી સ્ટુડિયોમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેમનાં પત્નીએ રાયગડ પોલીસમાં એડલવાઇસના અધિકારીઓ સામે ૧૮૧ કરોડ રૂપિયાની લોનને લઈને હેરાનગતિ કરવામાં આવી હોવાની ફરિયાદ  નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે કંપનીના મૅનેજિંગ ડિરેક્ટરને મરનારને આપેલી લોનનાં કાગળિયાં જમા કરાવવાનું કહ્યું હતું. જોકે અત્યાર સુધી પૂછપરછના ત્રણ રાઉન્ડ થઈ ચૂક્યા છે, પણ એને ફરીથી સમન્સ મોકલાયા નથી. નિષ્ણાતોના મતે આ કોઈ સામાન્ય કેસ નથી. મરનાર બહુ મોટા દબાણમાં હતા. તમામ મટીરિયલની ચકાસણી બાદ જ એના પરના દબાણ વિશે માહિતી મળી શકશે.


181
એડલવાઇસના અધિકારીઓ સામે આટલા કરોડની લોન માટે સતામણીની  ફરિયાદ થઈ છે


14 September, 2023 10:20 AM IST | Mumbai | Anurag Kamble

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK