શિરડી પાલખી લઈને જઈ રહેલા સાંઈભક્તો પર ફરી વળી કાર
શિરડી જઈ રહેલા ભાવિકો પર ફરી વળેલી કારની ઍક્સિડન્ટ બાદની હાલત.
કાંદિવલીથી પાલખી લઈને શિરડી જઈ રહેલા સાંઈભક્તો પર સિન્નર તાલુકાના દેવપુર ફાટા પાસે પાછળથી પૂરપાટ વેગે આવતી કાર ફરી વળી હતી. આ કારના સપાટામાં બાવીસ સાંઈભક્તો આવ્યા હતા જેમાંથી બેનાં મોત થયાં હતાં અને ૨૦ જણ જખમી થયા હતા.
કાંદિવલીના સમતાનગરના સાંઈરામ મંડળની પાલખી શિર્ડી તરફ પગપાળા જઈ રહી હતી ત્યારે ગઈ કાલે રાતે આઠ વાગ્યાની આસપાસ એક કારે તેમની પાછળથી આવીને જોરદાર ટક્કર મારી હતી. કેટલાક સાંઈભક્તો કારની ટક્કર લાગવાથી ઊછળીને બાજુમાં આવેલા ખેતરમાં પડ્યા હતા. બાવીસ જણને કારની ટક્કર લાગી હતી. આ ઍક્સિડન્ટમાં બે ભાવિકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. જખમીઓને શિર્ડીની હૉસ્પિટલમાં અને સિન્નરની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
કારચાલકને સામેથી આવી રહેલાં વાહનોની હેડલાઇટને કારણે કશું દેખાતું ન હોવાથી કાર પાલખી લઈ જનારાઓ પર ફરી વળી હતી એટલું જ નહીં, કારની સ્પીડ એટલી વધારે હતી કે એ પાલખીની સાથે જઈ રહેલા પચીસ ફુટ ઊંચા ડેકોરેશન કરેલી ટ્રકને પણ જોરદાર ટકરાઈ હતી. ઍક્સિડન્ટ બાદ ક્રેન લાવીને કારને કાઢવામાં આવી હતી.