Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Maharashtra: નાસિકમાં એક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, એકનું મોત, અનેક લોકો ઘાયલ

Maharashtra: નાસિકમાં એક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, એકનું મોત, અનેક લોકો ઘાયલ

01 January, 2023 05:12 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્રના નાસિકમાં એક ભયાનક અકસ્માતના સમાચાર છે. અહીં એક ફેક્ટરીમાં આગ લાગી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજે મહારાષ્ટ્ર (Maharashtra)ના નાસિકમાં એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાના સમાચાર છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ ફેક્ટરીમાં ઘણા મજૂરો ફસાયા હોવાની આશંકા છે. અધિકારીઓએ જણાવ્યું કે, નાસિકના મુંધેગાંવ ગામમાં સ્થિત એક ફેક્ટરીમાં સવારે 11 વાગે જોરદાર બોઈલર વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી. અનેક ફાયર એન્જિન ઘટનાસ્થળે આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટનામાં એકનું મોત થયું છે. જ્યારે 14 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. 

ફેક્ટરીમાં લાગેલી આગ ખૂબ જ ભયાનક હોવાનું કહેવાય છે. અત્યાર સુધીમાં લગભગ 11 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ઘણા કર્મચારીઓ અંદર ફસાયેલા છે. હજુ સુધી અંદર ફસાયેલા મજૂરોની ચોક્કસ સંખ્યા વિશે કોઈ સાચી માહિતી નથી. જિલ્લા હોસ્પિટલ, મેડિકલ કોલેજ, મહાનગરપાલિકામાં પથારીઓ ખાલી કરવામાં આવી રહી છે. જો કે અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. હાલ રાહત અને બચાવના પ્રયાસો ચાલુ છે.


Whatsapp-channel Whatsapp-channel

01 January, 2023 05:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK