Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai:એરપોર્ટ પર તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત, જાણો વિગત

Mumbai:એરપોર્ટ પર તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત, જાણો વિગત

05 January, 2022 12:20 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે રેપિડ RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. આ માહિતી સુધારેલી માર્ગદર્શિકામાંથી પ્રાપ્ત થઈ છે.

પ્રતીકાત્મક તસવીર

Coronavirus

પ્રતીકાત્મક તસવીર


મુંબઈઃ કોવિડ-19(Covid-19)ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે રેપિડ RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. આ માહિતી સુધારેલી માર્ગદર્શિકામાંથી પ્રાપ્ત થઈ છે. બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે જારી કરાયેલ માર્ગદર્શિકા સોમવારથી અમલમાં આવી છે.

સુધારેલા આદેશમાં જણાવાયું છે કે રેપિડ RT-PCR ટેસ્ટમાં સંક્રમિત થયેલા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ એરપોર્ટ પર જ નિયમિત RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. જો તેમાં પણ તેઓ સંક્રમિત જણાઈ આવશે, તો સેમ્પલ તરત જ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે અને પેસેન્જરને સંસ્થાકીય ક્વોરેન્ટાઈનમાં મોકલવામાં આવશે.



મુંબઈ પહોંચતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ક્વોરેન્ટાઈન ફરજિયાત


નોંધનીય છે કે મુંબઈમાં કોવિડના વધતા કેસોની વચ્ચે મુંબઈ મહાનગરપાલિકા મુંબઈવાસીઓને બીજી કોવિડ લહેરથી બચાવવા માટે અલગ-અલગ નિર્ણય લઈ રહી છે. આ ક્રમમાં કોવિડની સમસ્યાનો સામનો કરવા માટે, BMCએ આવનારા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે સાત દિવસનું હોમ ક્વોરેન્ટાઇન ફરજિયાત બનાવ્યું હતું.

  તે જ સમયે તેણે મહારાષ્ટ્રના અન્ય ભાગોમાંથી આવતા મુસાફરોના જાહેર પરિવહનના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. BMC કમિશનર ડૉ. આઈ.એસ. ચહલ દ્વારા જારી કરવામાં આવેલા તેમના અગાઉના આદે શમાં કહેવામાં આવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે મુંબઈ આવતા દરેક મુંબઈ નિવાસીએ અહીં આવ્યા પછી સાત દિવસની ફરજિયાત ક્વોરેન્ટાઈનમાંથી પસાર થવું પડશે. તે જ સમયે કલેક્ટર મહારાષ્ટ્રના અન્ય જિલ્લાના મુસાફરોને તેમના ઘરે જવાની વ્યવસ્થા કરશે.


જો શહેરમાં દરરોજ 20 હજારથી વધુ ચેપના કેસ હશે તો લોકડાઉન લાગુ કરવામાં આવશે

બીજી તરફ મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર કિશોરી પેડનેકરે કહ્યું છે કે કેન્દ્રની ગાઈડલાઈન મુજબ શહેરમાં દરરોજ 20 હજારથી વધુ સંક્રમણના કેસ નોંધાય છે. આવી સ્થિતિમાં લોકડાઉન થશે.અથવા મીની લોકડાઉન લાદી શકાય છે.

 

Whatsapp-channel Whatsapp-channel

05 January, 2022 12:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK