23 મેના રોજ ઑસ્ટ્રેલિયાના સિડનીમાં ક્યુડોસ બેંક એરેનામાં આયોજિત સામુદાયિક કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે "જ્યાં પણ આપત્તિ આવે છે, ત્યારે ભારત મદદ માટે બધાની પડખે છે અને જ્યારે પણ સંકટ આવે છે ત્યારે ભારત તેના ઉકેલ માટે ઊભું છે". વધુમાં, તેમણે ઉમેર્યું હતું કે "ભારત માટે સમગ્ર વિશ્વ એક પરિવાર ‘વસુધૈવ કુટુંબકમ’ છે". પીએમ મોદી ઑસ્ટ્રેલિયાના ત્રણ દિવસના પ્રવાસે છે.