Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > મુસ્લિમ દેશ મૉરોક્કોની ધરતી પરથી રક્ષાપ્રધાન રાજનાથ સિંહનો સંદેશ...

મુસ્લિમ દેશ મૉરોક્કોની ધરતી પરથી રક્ષાપ્રધાન રાજનાથ સિંહનો સંદેશ...

Published : 23 September, 2025 10:12 AM | IST | Morocco
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

PoK પર આક્રમણ કરીને કબજો કરવાની જરૂર નહીં પડે, PoK ખુદ કહશે કે હું ભારત છું

ગઈ કાલે મૉરોક્કોના રબાતમાં ભારતીય સમુદાયને સંબોધન કરતા રાજનાથ સિંહ.

ગઈ કાલે મૉરોક્કોના રબાતમાં ભારતીય સમુદાયને સંબોધન કરતા રાજનાથ સિંહ.


રક્ષાપ્રધાન રાજનાથ સિંહ બે દિવસ માટે મૉરોક્કોની વિઝિટ પર છે. ૯૯ ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા મૉરોક્કોની રાજધાની રબાતમાં ગઈ કાલે ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે ભારતની ધર્મનિરપેક્ષતા પર તેમણે પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘ભારતની વિશેષતા જુઓ. આતંકવાદીઓએ આપણા દેશવાસીઓને તેમનો ધર્મ પૂછીને માર્યા; પણ અમે કોઈનો ધર્મ જોઈને નહીં, તેમનાં કર્મ જોઈને માર્યા. અમે માત્ર એ લોકોને માર્યા જેમણે માસૂમ લોકોનો જીવ લીધો.’

પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીર (PoK) વિશે વાત કરતાં રાજનાથ સિંહે કહ્યું હતું કે ‘અમારે PoK પર હુમલો કરીને કબજો કરવાની જરૂર જ નહીં પડે, PoK આપમેળે આવશે. PoKમાં જ માગણી ઊઠવા લાગી છે. તમે સાંભળ્યું હશે કે લોકો જ નારાબાજી કરીને કહી રહ્યા છે. પાંચ વર્ષ પહેલાંથી હું કહેતો આવ્યો છું કે PoKને હડપવાની જરૂર જ નહીં પડે, એ તો આપણું જ છે. એ દિવસો દૂર નથી જ્યારે PoK ખુદ કહેશે કે હું પણ ભારત છું.’


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2025 10:12 AM IST | Morocco | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK