Iran-Israel Conflict: ઍર ડિફેન્સ સિસ્ટમના અભાવને કારણે ઈઝરાયલની સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે, કારણ કે તે એકસાથે અનેક મોરચે દુશ્મનો સાથે ઝઝૂમી રહ્યું છે. આ દરમિયાન, એ પ્રશ્ન છે કે શું ભારત કારગિલ યુદ્ધમાં ઈઝરાયલી મદદનું ઋણ ચૂકવશે.
નેતનયાહૂ, નરેન્દ્ર મોદી અને અલી ખામએની ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
ઈરાન પર સફળ લશ્કરી હુમલો કરવાનો દાવો કરનાર ઈઝરાયલ મુશ્કેલીમાં છે. હકીકતમાં, એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈઝરાયલનો લાંબા અંતરના મિસાઈલ ઈન્ટરસેપ્ટર્સનો પુરવઠો ઝડપથી ઘટી રહ્યું છે. આનાથી ઈઝરાયલના હવાઈ સંરક્ષણ અંગે ચિંતા વધી છે. આનું મુખ્ય કારણ એ છે કે તાજેતરના દિવસોમાં ઈઝરાયલને ઈરાન તરફથી અનેક હવાઈ હુમલાઓનો સામનો કરવો પડ્યો છે. આ હુમલાઓમાં ઈઝરાયલમાં જાનમાલનું મોટું નુકસાન થયું છે. આવી સ્થિતિમાં, ઍર ડિફેન્સ સિસ્ટમના અભાવને કારણે ઈઝરાયલની સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે, કારણ કે તે એકસાથે અનેક મોરચે દુશ્મનો સાથે ઝઝૂમી રહ્યું છે. આ દરમિયાન, એ પ્રશ્ન છે કે શું ભારત કારગિલ યુદ્ધમાં ઈઝરાયલી મદદનું ઋણ ચૂકવશે.
ઇઝરાયલની હવાઈ સુરક્ષા જોખમમાં
અમેરિકન મીડિયા વૉલ સ્ટ્રીટ જર્નલ દ્વારા ઇઝરાયલની હવાઈ સંરક્ષણ પ્રણાલીના અભાવ અંગેનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. એક અમેરિકન અધિકારીને ટાંકીને, આ અહેવાલમાં ઇઝરાયલની હવાઈ સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે. આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે ઇઝરાયલ અને ઈરાન સતત એકબીજા પર મિસાઇલોથી હુમલા કરી રહ્યા છે. ગયા શુક્રવારે, ઇઝરાયલે ઇરાન વિરુદ્ધ ઑપરેશન રાઇઝિંગ લાયન શરૂ કર્યું. ત્યારથી, ઇરાની સેનાએ ઇઝરાયલ પર લગભગ 400 બેલિસ્ટિક મિસાઇલો છોડી છે. આ મિસાઇલો ઇઝરાયલ સુધી પહોંચવામાં સક્ષમ અંદાજિત 2000 ઇરાની શસ્ત્રાગારનો ભાગ છે.
ADVERTISEMENT
ઈરાન પાસે હજી પણ 1,000 થી વધુ મિસાઈલો છે
ઈઝરાયલી અધિકારીઓએ વૉલ સ્ટ્રીટ જર્નલને જણાવ્યું હતું કે તેમના હુમલામાં ઈરાનના એક તૃતીયાંશ મિસાઈલ લૉન્ચરનો નાશ થયો છે અને દાવો કરવામાં આવ્યો છે કે તેમણે ઈરાની આકાશ પર હવાઈ શ્રેષ્ઠતા મેળવી છે. તેમ છતાં, ગુપ્તચર સૂત્રોએ ચેતવણી આપી હતી કે ઈરાનની અડધાથી વધુ મિસાઈલ ઇન્વેન્ટરી અકબંધ છે, જેનો એક ભાગ અંડરગ્રાઉન્ડ સુરંગોમાં છુપાયેલો હોઈ શકે છે.
ઇઝરાયલી ઇન્ટરસેપ્ટર્સના ખર્ચે વધારી મુશ્કેલી
ઇઝરાયલના મલ્ટિલેયર ઍર ડિફેન્સમાં આયર્ન ડોમ, ડેવિડ સ્લિંગ, ઍરો સિસ્ટમ્સ અને યુએસ દ્વારા પૂરા પાડવામાં આવેલ પેટ્રિઓટ્સ અને THAAD બેટરીનો સમાવેશ થાય છે. જો કે, તેમને સતત ઇન્ટરસેપ્શન માટે સક્ષમ રાખવાનો ખર્ચ ગંભીર ચિંતાનો વિષય બની રહ્યો છે. ઇઝરાયલી નાણાકીય દૈનિક `ધ માર્કર`નો અંદાજ છે કે રાત્રિ મિસાઇલ સંરક્ષણ કામગીરીનો ખર્ચ 1 અબજ શેકેલ (285 મિલિયન ડૉલર) સુધીનો છે. એકલા એરો સિસ્ટમ જ 3 મિલિયન ડૉલરના ઇન્ટરસેપ્ટર્સને ફાયર કરે છે.
ઇઝરાયલ પાસે 10 થી 12 દિવસનો સ્ટોક
ઈરાન લગભગ દરરોજ બેલિસ્ટિક મિસાઈલોથી ઇઝરાયલ પર હુમલો કરી રહ્યું છે. આ કારણે, ઇઝરાયલી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ પર ભારે દબાણ છે. દરમિયાન, ઇઝરાયલી ગુપ્તચર માહિતી પ્રમાણે ઝડપી પુરવઠો અથવા યુએસ તરફથી સીધી હસ્તક્ષેપ વિના, ઇઝરાયલ ફક્ત 10 કે 12 દિવસ માટે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓના આ સ્તરને જાળવી શકશે. સૂત્રએ જણાવ્યું હતું કે હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ પર પહેલાથી જ ઘણું દબાણ છે. આવી સ્થિતિમાં, તેમને ટૂંક સમયમાં પસંદ કરવું પડી શકે છે કે કઈ મિસાઈલો બંધ કરવી અને કઈ નહીં.
શું ભારત ઇઝરાયલને મદદ કરશે?
ભારતની સત્તાવાર નીતિ બે દેશો વચ્ચેના કોઈપણ સંઘર્ષમાં તટસ્થ રહેવાની છે. આવા સંઘર્ષોમાં, ભારત સીધી કે આડકતરી રીતે સંઘર્ષમાં સામેલ થતું નથી. ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ પણ કંઈક આવો જ છે, જેમાં ભારત ક્યારેય દખલ કરવા નહીં માગે. આ સંઘર્ષ શરૂ થયા પછી, ભારતીય વિદેશ મંત્રાલયે પોતાના પહેલા જ નિવેદનમાં સ્પષ્ટ કરી દીધું હતું કે બંને દેશો તેના મિત્ર છે અને તેમની સાથે મજબૂત સંબંધો છે. આવી સ્થિતિમાં, ભારત કોઈપણ રીતે આ સંઘર્ષમાં પોતાને ફસાવવા માગશે નહીં, ખાસ કરીને વર્તમાન ભૂ-રાજકીય તણાવને ધ્યાનમાં લેતા. જો ભારત ઇઝરાયલને કોઈપણ રીતે મદદ કરે છે, તો આ ફક્ત ઈરાન સાથેના સંબંધોને જ નહીં, પરંતુ ગલ્ફ દેશો સાથેના દ્વિપક્ષીય સંબંધોને પણ બગાડશે.
કારગિલમાં ઇઝરાયલે ભારતને કેવી રીતે મદદ કરી?
કારગિલ યુદ્ધ દરમિયાન, ઇઝરાયલે મોર્ટાર અને દારૂગોળો આપીને ભારતને મદદ કરી હતી. કારગિલ યુદ્ધ દરમિયાન ઇઝરાયલ ભારતને સીધી મદદ કરનારા થોડા દેશોમાંનો એક હતો. આ યુદ્ધ દરમિયાન, તેણે ભારતીય વાયુસેનાના મિરાજ 2000 ફાઇટર જેટ માટે લેસર ગાઇડેડ મિસાઇલો પૂરી પાડી હતી. આંતરરાષ્ટ્રીય સમુદાયના દબાણ છતાં, ઇઝરાયલે કારગિલમાં પાકિસ્તાનના ઘૂસણખોરી પહેલાં ઑર્ડર કરાયેલા શસ્ત્રોનો શિપમેન્ટ ઝડપથી ભારતને પહોંચાડ્યો. આમાં ઇઝરાયલના હેરોન અનમેડ એરિયાલ વિકલ (UAV) ની ડિલિવરીનો પણ સમાવેશ થાય છે.


