Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અફઘાનિસ્તાન પર પાકિસ્તાને કરી ઍર સ્ટ્રાઇક, આઠના જીવ હોમાયા

અફઘાનિસ્તાન પર પાકિસ્તાને કરી ઍર સ્ટ્રાઇક, આઠના જીવ હોમાયા

18 March, 2024 05:01 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાન (International News) પર હવાઈ હુમલો કર્યો છે. આ હવાઈ હુમલા પાછળનો મુખ્ય ઈરાદો TTP આતંકવાદીઓને ખતમ કરવાનો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાન (International News) પર હવાઈ હુમલો કર્યો છે. આ હવાઈ હુમલા પાછળનો મુખ્ય ઈરાદો TTP આતંકવાદીઓને ખતમ કરવાનો હતો. અફઘાનિસ્તાન દ્વારા પણ આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદી વિસ્તારોને અડીને આવેલા ખોસ્ત અને પાકિતકા પ્રાંતના વિસ્તારોને પાકિસ્તાની વાયુસેના (International News) દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાની વાયુસેનાએ ખાસ કરીને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના એક કમાન્ડરના ઘરને નિશાન બનાવીને આ હુમલો કર્યો છે. હવાઈ હુમલા (International News) દરમિયાન પાકિસ્તાની સેનાએ બે અલગ-અલગ વિસ્તારોમાં હુમલા કર્યા છે.



લગભગ રાતભર ચાલેલા હુમલામાં પાકિસ્તાની સેનાએ 8 આતંકીઓને ઠાર કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર માર્યો ગયો આતંકી હાફિઝ ગુલબહાદર ગ્રુપ સાથે સંકળાયેલો હતો. હવાઈ હુમલાના લગભગ બે દિવસ પહેલા આતંકવાદીઓએ પાકિસ્તાનના વઝીરિસ્તાન વિસ્તારમાં સ્થિત આર્મી પોસ્ટ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન 7 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલાના જવાબમાં પાકિસ્તાની સેનાએ હવાઈ હુમલો કર્યો છે.


આતંકવાદીઓના આ હુમલામાં પાકિસ્તાનના એક લેફ્ટનન્ટ કર્નલ અને એક કેપ્ટન શહીદ થયા હતા. આ સિવાય જીવ ગુમાવનારાઓમાં 5 જવાનોનો પણ સમાવેશ થાય છે. તેમના મૃત્યુ પછી, તેમને રવિવારે (17 માર્ચ 2024)ના રોજ સમાધિ આપવામાં આવી હતી.

ઘટના બાદ પાકિસ્તાની સેનાની મીડિયા વિંગે આ મામલાની માહિતી શેર કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, 16 માર્ચની સવારે આતંકવાદીઓના એક જૂથે વજીરિસ્તાનમાં આર્મી પોસ્ટ પર હુમલો કર્યો હતો. જોકે, સેનાએ આતંકીઓના આ નાપાક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આનાથી ગુસ્સે થઈને આતંકીઓ વિસ્ફોટક સામગ્રીથી ભરેલું પોતાનું વાહન પોસ્ટ પર લઈ ગયા અને તેને ટક્કર મારી દીધી. જેમાં અનેક જવાનો શહીદ થયા હતા.


મુસ્કુરાઈએ, ક્યોંકિ અબ આપ સબ ભારત કે નાગરિક હૈં

પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલાદેશથી સ્થળાંતર કરીને અમદાવાદમાં રહેતી ૧૮ વ્યક્તિઓને ગઈ કાલે ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ભારતીય નાગરિકતાનાં સર્ટિફિકેટ આપીને તેમને ભારતીય નાગરિક બનાવ્યા હતા. ભારતીય નાગરિક બનતાંની સાથે જ આ તમામ વ્યક્તિઓના ચહેરા પર સંતોષ સાથે રાહતની લાગણી વર્તાઈ હતી.

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં યોજાયેલા કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘મુસ્કુરાઈએ, ક્યોંકિ અબ આપ સબ ભારત કે નાગરિક હૈં. ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર મેળવનાર ૧૮ વ્યક્તિઓનાં ઘરોમાં દિવાળી જેવો માહોલ છે, કેમ કે તેઓ ભારતના નાગરિક બન્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બંગલાદેશના અનેક પીડાઓ વેઠતા લઘુમતીઓને, હિન્દુ નિર્વાસિતોને ભારતની નાગરિકતા આસાનીથી અને ઝડપથી મળે એ માટે પ્રયાસ કર્યા છે, એને પરિણામે જ આજે તમે ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી શક્યા છો. આજનો દિવસ તમારા જીવનમાં અતિ મહત્ત્વનો છે. આજથી તમે મહાન ભારત દેશના નાગરિક બન્યા છો. નાગરિક તરીકે તમને બધા અધિકારો મળશે તથા સરકારની તમામ યોજનાનો લાભ પણ ઉઠાવી શકશો.’

Whatsapp-channel Whatsapp-channel

18 March, 2024 05:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK