° °

આજનું ઇ-પેપર
Friday, 31 March, 2023


ઉત્તર ગુજરાતમાં ઠંડીની સાથે પડી શકે છે માવઠાનો પણ માર

26 January, 2023 01:18 PM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત્ : નલિયામાં ૫.૮ ડિગ્રી તાપમાન : ગુજરાતનાં ૮ નગર અને શહેર તેમ જ ૩ જિલ્લામાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે : અમદાવાદ સહિત ગુજરાતમાં ઠંડાગાર પવનોએ જનજીવન પર કરી અસર

પ્રતીકાત્મક તસવીર Weather Update

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ : ગુજરાત આખું કડકડતી ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાતમાં ઠંડીની સાથે-સાથે માવઠું થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ‘૨૮ જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં હળવો વરસાદ પડવાની સંભાવના છે.’ એક તરફ ઉત્તર ગુજરાતમાં ઠંડી પડી રહી છે અને હવે માવઠું થવાની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતાની લાગણી ઊભી થઈ છે. 

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ઠંડીનું જોર ગઈ કાલે પણ યથાવત્ રહેવા પામ્યું હતું. ગઈ કાલે ગુજરાતમાં નલિયા સૌથી ઠંડુંગાર નગર બની રહ્યું હતું, જ્યાં મિનિમમ તાપમાન ૫.૮ ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત ગુજરાતનાં ૮ નગર અને શહેર તેમ જ ૩ જિલ્લામાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે રહેવા પામ્યો હતો. નલિયા ઉપરાંત વલસાડમાં ૭.૮, પાટણમાં ૮.૧, રાજકોટમાં ૮.૭, પોરબંદરમાં ૯, ગાંધીનગરમાં ૯.૨, ભુજમાં ૯.૭, ડીસામાં ૯.૮, અમદાવાદ અને અમરેલીમાં ૧૦.૪ ડિગ્રી તેમ જ પંચમહાલમાં ૭.૧, ડાંગ જિલ્લામાં ૮.૮ અને નર્મદા જિલ્લામાં ૯ ડિગ્રી મિનિમમ તાપમાન રહેવા પામ્યું હતું. 

અમદાવાદ સહિત ગુજરાતમાં ઠંડાગાર પવનોએ જનજીવન પર અસર કરી હતી અને નાગરિકોએ કામ વગર બહાર જવાનું ટાળ્યું હતું.

26 January, 2023 01:18 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

અણુવ્રત યાત્રા: આચાર્ય શ્રી મહાશ્રમણજી 21 એપ્રિલે સુરતમાં પદાર્પણ કરશે

આજે અમદાવાદમાં થયું સુરત દ્વારા દાયિત્વ સ્વીકરણ, સુરતથી 2100થી વધારે શ્રદ્ધાળુઓ પહોંચ્યા, 23 એપ્રિલે સુરતમાં અક્ષય તૃતીયા અવસર પર થશે 1111 થી પણ વધારે વર્ષીતપ પારણાં

30 March, 2023 06:39 IST | Surat | Partnered Content
ગુજરાત સમાચાર

Gujarat: વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પત્થરમારો, ઘટનાસ્થળે પહોંચી પોલીસ

Gujarat: બજરંગ દળના એક સ્થાનિક નેતાએ આરોપ મૂક્યો છે કે આ જાણવા છતાં કે આ પ્રકારની ઘટના પહેલા પણ થઈ ચૂકી છે, પોલીસ ક્યાંય જોવા મળી નહીં, જ્યારે દર વર્ષે આ માર્ગે નીકળતી શોભાયાત્રા પર હુમલો કરવામાં આવે છે.

30 March, 2023 06:05 IST | Vadodara | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

માધવપુરમાં શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહનો લોકોત્સવ આજથી ઊજવાશે

પાંચ દિવસ સુધી ચાલનારા અને માધવપુરના મેળા તરીકે જાણીતા આ મેળામાં મહાલવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઊમટશે

30 March, 2023 02:38 IST | Ahmedabad | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK