સુરત ડાયમન્ડ બુર્સના ચૅરમૅન વલ્લભ લાખાણીના રાજીનામાનો સ્વીકાર, મૅનેજિંગ કમિટીએ સર્વાનુમતે ગોવિંદ ધોળકિયાને નવા ચૅરમેન બનાવ્યા
વલ્લભ લાખાણી, ગોવિંદ ધોળકિયા
વિશ્વના સૌથી મોટા ઑફિસ-બિલ્ડિંગ તરીકે ખ્યાતિ પામનારા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જેનું ઉદ્ઘાટન થયું હતું એ સુરત ડાયમન્ડ બુર્સના ચૅરમૅન અને મુંબઈ અને સુરત એમ બન્ને માર્કેટમાં મોટું કામકાજ ધરાવતા કિરણ જેમ્સના વડા વલ્લભ લાખાણીએ ચૅરમૅનપદેથી રાજીનામું આપી દીધું હોવાની ચર્ચા મુંબઈના હીરાબજાર ભારત ડાયમન્ડ બુર્સ (BDB) અને સુરત ડાયમન્ડ બુર્સ (SDB)માં જોરદાર ચાલી રહી હતી એટલું જ નહીં, નવા ચૅરમૅન તરીકે ગોવિંદ ધોળકિયાનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું. જોકે ગઈ કાલે સાંજે સુરત ડાયમન્ડ બુર્સની કમિટીની બેઠકમાં વલ્લભ લાખાણીનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું અને નવા ચૅરમૅન તરીકે ગોવિંદ ધોળિકયાની વરણી કરાતાં એ ચર્ચાઓ અને અટકળોનો અંત આવી ગયો હતો.


