Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Sabarkantha Crime: ‘બેટી બચાઓ..’ સ્પીચ થકી લોકોના દિલ જીતનાર વિદ્યાર્થિની સાથે શિક્ષકે કર્યો બળાત્કાર

Sabarkantha Crime: ‘બેટી બચાઓ..’ સ્પીચ થકી લોકોના દિલ જીતનાર વિદ્યાર્થિની સાથે શિક્ષકે કર્યો બળાત્કાર

Published : 19 February, 2025 10:01 AM | Modified : 20 February, 2025 07:14 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Sabarkantha Crime: ૨૬ જાન્યુઆરીએ આ વિદ્યાર્થિનીએ બેટી બચાઓ, બેટી પઢાઓ આ વિષય પર વક્તવ્ય આપીને સૌને ખુશ કરી નાખ્યા હતા. ૭મી ફેબ્રુઆરીએ બળાત્કાર કરવામાં આવ્યો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુજરાતના સાબરકાંઠા (Sabarkantha Crime)માંથી હચમચાવી નાખે તેવા સમાચાર સામે આવ્યા છે. અહીં દસમા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિની સાથે તેની જ શાળાના શિક્ષકે બળાત્કાર કર્યો હોવાના અહેવાલ છે. તાજેતરમાં જ ૨૬ જાન્યુઆરીએ તો હજી આ વિદ્યાર્થિનીએ બેટી બચાઓ, બેટી પઢાઓ આ વિષય પર વક્તવ્ય આપીને સૌને ખુશ કરી નાખ્યા હતા. ૭મી ફેબ્રુઆરીએ આ વિદ્યાર્થિની પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. 

Sabarkantha Crime:પોતાની સાથે આ પ્રકારે ગેરવર્તન થયું હોવા છતાં આ વિદ્યાર્થિની જરા પણ ડગી નથી. આ 15 વર્ષન વિદ્યાર્થિની હિંમતભેર પોતાની 27 ફેબ્રુઆરીથી શરૂ થનારી બોર્ડની પરીક્ષાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેને પોલીસ અધિકારી બનવું છે. તે તેના પેશન વિશે વાત કરતાં કહે છે કે, "મેં હંમેશા પોલીસ અધિકારી બનવાનું સપનું સેવ્યું છે. વિજ્ઞાન અને ગણિત મારા ગમતા વિષયો છે. હું મારા બોર્ડના પરિણામોના આધારે મારા શૈક્ષણિક પ્રવાહની પસંદગી કરીશ"



પ્રાપ્ત અહેવાલો (Sabarkantha Crime) અનુસાર તેની જ શાળાનો 33 વર્ષીય શિક્ષક કથિત રીતે આ વિદ્યાર્થિનીને તેનો જન્મદિવસ ઉજવવાના બહાને એક હોટલમાં લઇ ગયો હતો. દુષ્કૃત્ય આચર્યા બાદ તેણે ધમકીઓ પણ આપી હતી. જો તે આ વિશે કોઈને પણ વાત કરશે તો તેને બોર્ડની પરીક્ષામાં નાપાસ કરી નાખવામાં આવશે એવી ધમકી પણ આપવામાં આવી હતી. આ વિદ્યાર્થિનીના કાકા કહે છે કે, “અમે નથી ઇચ્છતા કે અમારી આવનારી પેઢી ખેતરમાં મજૂરી કરે. અમે જમીનમાલિકો નથી પણ, અમે શિક્ષણના મહત્વને સમજીએ છીએ”


વળી તેના કાકાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ દીકરી બધા માટે પ્રેરણાસ્ત્રોત (Sabarkantha Crime) બની છે. ઘણા લોકો તો નાના નાના પડકારોનો સામનો કરતી વખતે પણ હારી જાય છે. ત્યારે આ વિદ્યાર્થી બીજાઓ માટે આદર્શ છે. તેની શાળાનાઆ આચાર્ય પણ કહે છે કે, “26 જાન્યુઆરીએ તેણે જે વક્તવ્ય આપ્યું હતું તેની તો સૌએ સરાહના કરી હતી. તે એક તેજસ્વી વિદ્યાર્થિની છે. જેણે કોઈ દિવસ ક્લાસ મિસ નથી કર્યા. જે રીતે તે હિંમત સાથે આ પડકારજનક સમયમાં આગળ વધી રહી છે તે પ્રેરણાસ્ત્રોત છે.”

નરાધમ શિક્ષકની ધરપકડ કરી લેવાઈ છે 


પ્રાપ્ત અહેવાલો અનુસાર વિદ્યાર્થિની તો પોતાના પર વિતેલા તે કાળને ભૂલી જઈને આઘાતમાં (Sabarkantha Crime) સર્યા વગર હિંમત સાથે બોર્ડની પરીક્ષાઓમાં સારું પરિણામ લાવવા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તે ફઇ સાથે રહે છે. તેના મોટા પિતા ખેડૂત છે. 7 ફેબ્રુઆરીની આ ભયાનક ઘટના બાદથી આ વિદ્યાર્થિની તેના ફઇના ઘરે જ રહે છે. તેમની બે દીકરીઓ પણ આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ આપવાની છે. એટલે સમાજના લોકો અને સંબંધીઓ દરરોજ ન આવે અને તેના અભ્યાસમાં વિક્ષેપ ન પાડે એ હેતુસર આ વિદ્યાર્થિનીને પોતાના ઘરથી દૂર સબંધીને ઘેર મૂકવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

20 February, 2025 07:14 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK