Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Gujarat Government

લેખ

પ્રતીકાત્મક તસવીર

ઑપરેશન સિંદૂર દરમ્યાન રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર ૧૪ સામે ગુજરાતમાં નોંધાયો ગુનો

૧૪ વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

13 May, 2025 08:59 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
સિંહોની વસ્તીગણતરી

આજે ગુજરાતના સિંહોની વસ્તીનો અંદાજ થઈ શકે છે જાહેર

ગીર સહિત સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં ચાલી રહેલી સિંહોની વસ્તીગણતરીમાં પહેલી વાર જોડાયા ગામોના સરપંચો

13 May, 2025 08:47 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
 ચંડોળા તળાવમાં ગેરકાયદે મકાનો અને ઝૂંપડાં તોડી પડાયાં હતાં.

અતિક્રમણ સામે અમદાવાદમાં પહેલી વાર ઐતિહાસિક કાર્યવાહી

ચંડોળા તળાવમાંથી ૧૫૦થી વધુ બંગલાદેશીઓ મળી આવ્યા અને ૨૫૦ જેટલા શકમંદની ચાલી રહી છે પૂછપરછ

30 April, 2025 10:14 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

અમદાવાદમાં શરૂ થશે શ્વાનોનું સ્મશાનગૃહ

મ્યુનિસિપલ કૉર્પોરેશન CNG આધારિત સ્મશાનગૃહ શરૂ કરશે

17 April, 2025 02:46 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

ફોટા

વર્ચ્યુઅલી ફ્લેગ ઑફ થયું તેની તસવીરી ઝલક

હજીરાથી કંડલા પોર્ટ તરફ ઈલેક્ટ્રોલાઈઝર્સના કન્સાઈનમેન્ટનું વર્ચ્યુલ ફ્લેગ ઑફ

નવીન ઉર્જાના ક્ષેત્રે દેશભરમાં મિશન મોડ પર કામ ચાલી રહ્યું છે. ગુજરાતમાં પણ તેને અનુરૂપ આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનના લક્ષ્યને પ્રાપ્ત કરવા અને ઊર્જા પરિવર્તન માટે ગુજરાતમાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા ખાતે સ્થાપિત થવા જઈ રહેલા 1 મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ માટે `મેઈડ-ઇન-ઇન્ડિયા` હેઠળ ઉત્પાદિત ઇલેક્ટ્રોલાઇઝર્સને વર્ચ્યુઅલી ફ્લેગ ઑફ કરાવ્યું હતું.

20 March, 2025 07:01 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વડનગરના વિકાસનું વિઝન થઈ રહ્યું છે સાકાર, નવા આકર્ષણો થકી પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે સજ્જ છે ગુજરાતનું પ્રાચીન શહેર વડનગર

ગુજરાત: ગૃહ પ્રધાન અમિત શાહ વડનગરમાં કરશે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ, જુઓ તસવીરો

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 16 જાન્યુઆરી, 2025ના રોજ મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ (પુરાતત્વ અનુભવ સંગ્રહાલય), પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા વિકાસકાર્યો પૂર્ણ થવાથી વડનગરની મુલાકાતે આવનારા પ્રવાસીઓને હવે એક નવો અનુભવ મળશે. ગુજરાતના પ્રાચીનતમ શહેર વડનગરનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય છે. 2500 વર્ષ કરતા વધુ સમયથી સતત ધબકતું રહેલું આ શહેર સાત અલગ અલગ રાજવંશોના શાસન હેઠળ રહ્યું છે. વડનગર મુખ્ય વ્યાપારી માર્ગ પર સ્થિત હોવાને લીધે હિંદુ, બૌદ્ધ, જૈન અને ઇસ્લામ ધર્મોના સંગમનું એક જીવંત કેન્દ્ર હતું. આ શહેર સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરોનો અણમોલ ખજાનો છે. તમામ ઐતિહાસિક ખાસિયતો ધરાવતું હોવા છતાં લોકોથી અજાણ્યું રહેલું વડનગર તે સમયે દેશ અને દુનિયાના નકશા પર ઉભરી આવ્યું, જ્યારે અહીંની ભૂમિમાં જન્મેલા નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા. વડા પ્રધાન  નરેન્દ્ર મોદીએ વડનગરના ઐતિહાસિક મહત્વ અને પ્રવાસન સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તેની સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે પ્રેરિત કર્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર વડનગરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સંવર્ધન માટે તેમજ આ ઐતિહાસિક નગરમાં પાયાની અને પ્રવાસન સુવિધાઓ વિકસિત કરવા માટે વિશેષ પ્રયાસો કરી રહી છે. વડનગર પર આઇઆઇટી ખડગપુર, આઇઆઇટી ગુવાહાટી, આઇઆઇટી ગાંધીનગર, અને આઇઆઇટી રૂડકી તરફથી વ્યાપક બહુ-વિષયક શોધ શરૂ કરવામાં આવી છે. વડનગરની મુલાકાત દરમિયાન અમિત શાહ શહેરના પ્રાચીન હાટકેશ્વર મંદિરની મુલાકાત પણ લેશે. 17મી સદીનું આ સુંદર નકશીદાર મંદિર એક જમાનામાં વડનગરના મુખ્ય સમુદાય એવા નાગર બ્રાહ્મણોના કુળદેવતા હાટકેશ્વર મહાદેવને સમર્પિત છે. મંદિરનું સ્થાપત્ય અને ડિઝાઇન આ પ્રદેશના સમૃદ્ધ વારસા અને પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે.

15 January, 2025 04:03 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
અમદાવાદ ઇન્ટરનૅશનલ ફ્લાવર શોની ઝલક

ફાયર હૈ યે ફ્લાવર શો: પચાસથી વધારે પ્રજાતિનાં કુલ, ૧૦ લાખથી વધુ ફૂલ-છોડ

અમદાવાદમાં શુક્રવારથી શરૂ થયેલા અમદાવાદ ઇન્ટરનૅશનલ ફ્લાવર શોમાં ૨૩ જાતનાં ફૂલોથી બનેલા વિશ્વના સૌથી ઊંચા ૩૦ ફુટના બુકેએ યંગસ્ટર્સ અને મહિલાઓ સહિત સૌકોઈમાં રોમાંચ જગાવ્યો હતો. છ ઝોનમાં વહેંચાયેલા આ ફ્લાવર શોમાં પચાસથી વધારે પ્રજાતિનાં કુલ ૧૦ લાખથી વધુ ફૂલ-છોડ અને એમાંથી બનેલાં ત્રીસથી વધુ શિલ્પો મૂકવામાં આવ્યાં છે. જાતભાતનાં ફૂલો અને છોડમાંથી નિર્મિત દસથી ૨૬ ફુટનાં કૅનપી ક્લસ્ટર, કોણાર્ક ચક્ર, ૨૦ ફુટ ઊંચો માનસ્તંભ, ૩૦ ફુટ ઊંચું બૃહદીશ્વર મંદિર, ગરબા ગાતી યુવતીઓ, ૧૦ ફુટનો વાઘ, ફાઇટિંગ કરતા ૧૫ ફુટ લાંબા બુલ્સ, ૧૫ ફુટ ઊંચું કહારી ઊંટ, ૨૩ ફુટ ઊંચું ગ્રેટર ફ્લૅમિંગો, સિંહ, છોટા ભીમ, ઑલિમ્પિક્સ ૨૦૩૬નું સ્કલ્પ્ચર, ગાંધીજીના ત્રણ વાંદરા પણ જોવા મળે છે.

05 January, 2025 12:21 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ગુજરાતમાં ભારે વરસાદને લીધે પૂર જેવી પરિસ્થિતી સર્જાઈ છે (તસવીરો- મિડડે)

In Photos: ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું, પૂરમાં ઓછામાં ઓછા 16 લોકોના જીવ ગયા

ગુજરાતમાં વરસાદને કારણે નિર્માણ થયેલી પૂર જેવી સ્થિતમાં લગભગ નવ લોકોના મોત થયા છે, તેમ જ બીજા દિવસે આ મૃત્યુઆંક 16 પર પહોંચી ગયો હતો. રાજ્યના કેટલાક વિસ્તારોમાં સતત ચોથા દિવસે પણ ભારે વરસાદ ચાલુ રહેતા પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી વધુ 8,500 લોકોને સુરક્ષિત ઠેકાણે સ્થળાંતરિત લારીને બચાવી લેવામાં આવ્યા હતા. (તસવીરો- મિડડે)

28 August, 2024 09:44 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

સ્વસ્થ ગુજરાત, નો ઓબેસિટી: વિધાનસભામાં ઠરાવ પસાર - ગુજરાત એચએમ હર્ષ સંઘવી

સ્વસ્થ ગુજરાત, નો ઓબેસિટી: વિધાનસભામાં ઠરાવ પસાર - ગુજરાત એચએમ હર્ષ સંઘવી

`સ્વસ્થ ગુજરાત, ઓબેસિટી મુક્ત ગુજરાત` પર બોલતા, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે "આ વર્ષે વિધાનસભામાં એક ખાસ ઠરાવ લેવામાં આવ્યો છે - સ્વસ્થ ગુજરાત, ઓબેસિટી મુક્ત ગુજરાત. સુરત શહેરના હજારો નાગરિકો ઓબેસિટી મુક્ત ગુજરાતના આ કાર્યક્રમમાં સામેલ છે. આગામી દિવસોમાં, ગુજરાત સરકાર આ કાર્યક્રમને રાજ્યના દરેક ગામ સુધી લઈ જવા માટે કટિબદ્ધ છે...

04 May, 2025 09:52 IST | Ahmedabad
અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે ડિમોલિશન ડ્રાઇવ ચાલુ

અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે ડિમોલિશન ડ્રાઇવ ચાલુ

30 એપ્રિલના રોજ ગુજરાતના અમદાવાદના ચંડોળા તળાવ ખાતે બીજા દિવસે પણ ડિમોલિશન ઝુંબેશ ચાલુ રહી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા 180 થી વધુ બાંગ્લાદેશી ઘુસણખોરોની ઓળખ કરવામાં આવી હતી."અમે જે વિસ્તારમાંથી ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને પકડ્યા હતા ત્યાં ગેરકાયદેસર અતિક્રમણ તોડી પાડ્યા છે... અમે ખાતરી કરીશું કે સરકારી જમીન ખાલી કરવામાં આવે," હર્ષ સંઘવીએ જણાવ્યું.

01 May, 2025 05:58 IST | Ahmedabad
જૂનાગઢ જિલ્લા અધિકારીઓ દ્વારા ઉપરકોટ કિલ્લા નજીક ગેરકાયદેસર ઇમારતો દૂર કરાઈ

જૂનાગઢ જિલ્લા અધિકારીઓ દ્વારા ઉપરકોટ કિલ્લા નજીક ગેરકાયદેસર ઇમારતો દૂર કરાઈ

જિલ્લા વહીવટીતંત્રે 30 એપ્રિલના રોજ ગુજરાતના જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લાના વિસ્તરણની આસપાસ ગેરકાયદેસર અતિક્રમણો દૂર કર્યા. વહીવટીતંત્રે કાર્યવાહી કરતા ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 29 એપ્રિલના રોજ ચંડોળા તળાવ નજીક બાંગ્લાદેશી ઘુસણખોરોને દૂર કરવા માટે ડિમોલિશન ઝુંબેશનું આયોજન કર્યું હતું.

30 April, 2025 06:38 IST | Junagadh
ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ચેતવણી આપી

ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ચેતવણી આપી

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો સામે મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરત પોલીસે આ ગેરકાયદેસર રહેવાસીઓની ધરપકડ કરવા માટે મોટું ઓપરેશન શરૂ કર્યું છે. આ કાર્યવાહી બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

27 April, 2025 03:25 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK