Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાજકોટ: પ્રેમીએ પ્રેમિકા પર હત્યાનો આરોપ મૂકવા કર્યો આપઘાત, આ રીતે ખૂલ્યો ભેદ

રાજકોટ: પ્રેમીએ પ્રેમિકા પર હત્યાનો આરોપ મૂકવા કર્યો આપઘાત, આ રીતે ખૂલ્યો ભેદ

11 January, 2023 09:19 PM IST | Rajkot
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રાજેશે પોતે જ પોતાના શરીર પર પેટ્રોલ નાખીને અગ્નિસ્નાન કરી આપઘાત કર્યો. રાજેશના બેગમાં મળેલી પેટ્રોલની બાટલીઓથી જ્યારે ભેદનો ખુલાસો થયો ત્યારે પોલીસ પણ ચોંકી ઊઠી.

પ્રતીકાત્મક તસવીર

Crime News

પ્રતીકાત્મક તસવીર


રાજકોટના (Rajkot) મોરબી રોડ નજીક રહેતા કડિયા રાજેશ રમાણીને તેની પ્રેમિકાએ વાંકાનેર સીમા નજીક બોલાવ્યો અને પેટ્રોલ નાખીને જીવતો બાળ્યો. આ દરમિયાન રાજકોટ (Rajkot) વાંકાનેર પોલીસની તપાસમાં રાજેશના મૃત્યુ બાદ ખુલાસો થયો છે કે રાજેશે પોતે જ પોતાના શરીર પર પેટ્રોલ નાખીને અગ્નિસ્નાન કરી આપઘાત કર્યો. રાજેશના બેગમાં મળેલી પેટ્રોલની બાટલીઓથી જ્યારે ભેદનો ખુલાસો થયો ત્યારે પોલીસ પણ ચોંકી ઊઠી.

રાજેશ બે મહિનાથી રહેતો હતો પ્રેમિકા સાથે
રાજેશ પરસોતમભાઈ રમાણી (45 વર્ષ), રાજકોટના રહેવાસી સ્વાસ્તિક વિલામાં ઈંટ બનાવવાનું કામ કરતા હતા, તેમને 6 જાન્યુઆરીના રોજ રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં બર્નકેસ જણાવીને સ્થળાંતરિત કરવામાં આવ્યો. ત્યાં તેણે સ્વીકાર્યું કે બે મહિનાથી તે દાહોદ પંથક ગીતા નામની મહિલા જેની સાથે રહેતો હતો તેણે ઘરમાંથી ચોરી કરી. ઘટના બાદ આ મહિલાએ પોલીસ સ્ટેશન બોલાવી, જ્યારે રાજેશે તેને પૂછ્યું તો બન્ને વચ્ચે ઝગડો થયો અને ગીતાએ તેના પર પેટ્રોલ નાંખીને આગ લગાડી દીધી. કારણકે સારવાર દરમિયાન રાજેશનું મૃત્યુ થયું, પોલીસે આપઘાતના કારણની તપાસ શરૂ કરી.



ગીતાએ બાળ્યો એવી ખોટી સ્ટોરી ઘડી
આરોપ સંબંધે વાંકાનેરના પીએસઆઈ સોનારા લેખક વનરાજસિંહે તપાસ કરી તો ખબર પડી કે આ ઘટના હત્યા નહીં પણ આપઘાતની છે, મૃતકના બેગમાંથી પેટ્રોલની બોટલ હોવાનું કારણ પૂછપરછ દરમિયાન તેણે પોતે 60 રૂપિયામાં ખરીદી એવું કહ્યું. ખરીદેલા પેટ્રોલના જ છાંટા શરીર પર પણ. પછી ગીતાએ બાળી નાખ્યો જેવી ખોટી સ્ટોરી ઘડી તેની કબૂલાત. આથી પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધી તપાસ કરી. પછી સારવાર દરમિયાન રાજેશની મોત પર પોલીસે આપઘાતનો કેસ નોંધવાનો પ્રયત્ન કર્યો.


આ પણ વાંચો : Road Safety Weekનું ઉદ્ઘાટન કર્યું બ્રાન્ડ એમ્બેસેડર જૅકી શ્રૉફે, જુઓ તસવીરો

મત્તા અને દાગીના લઈને ભાગી ગઈ
રાજેશની સારવાર દરમિયાન તેમે પોલીસને જણાવ્યું કે ગીતે તેને બે વર્ષ પહેલા મળી અને બન્ને મોબાઈલ પર જોડાયેલા રહ્યા. 10 દિવસ ગીતા સાથે રહી અને પછી દાગીના તેમજ રોકડ લઈને જતી રહી. તેણે ફોન બંધ કરી દીધો અને એકાએક છ જાન્યુઆરીએ રાજેશે તેને આધાર કાર્ડ લઈને સાથે રહેવા બોલાવી. આમ બન્ને અવાવરું જગ્યાએ મળ્યા અને બન્ને વચ્ચે વિવાદ થતાં ગીતા ત્યાંથી નીકળી ગઈ અને આ બનાવ બન્યો.


આ પણ વાંચો : મુંબઈના ૭, અમેરિકાના પાંચ સહિત ૫૮ યુવાનોએ મહંતસ્વામીના હાથે ગ્રહણ કરી સંતદીક્ષા

કોઈએ પોલીસને માહિતી આપીને રાજેશને હૉસ્પિટલ પહોંચાડ્યો
6 જાન્યુઆરીના રોજ બેભાન અવસ્થામાં રાજેશ ઘટનાસ્થળે પડેલો હતો, ત્યાં કોઈકે સારવાર માટે રાજકોટની સરકારી હૉસ્પિટલમાં પહોંચાડ્યો. વાંકાનેર પોલીસ સ્ટેશનના કર્મચારી રાજેશનનું નિવેદન પહોંચવા રાજકોટની સરકારી હૉસ્પિટલ પહોંચ્યા.

Whatsapp-channel Whatsapp-channel

11 January, 2023 09:19 PM IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK