Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સાળંગપુરમાં હનુમાનદાદાની વિરાટ પ્રતિમાનું અનાવરણ થશે

સાળંગપુરમાં હનુમાનદાદાની વિરાટ પ્રતિમાનું અનાવરણ થશે

21 March, 2023 12:00 PM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા હનુમાનદાદાનું પૂજન કરવામાં આવશે

સાળંગપુરમાં ૫૪ ફુટ ઊંચી હનુમાનદાદાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.

સાળંગપુરમાં ૫૪ ફુટ ઊંચી હનુમાનદાદાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.


ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં હનુમાન જયંતી અવસરે હનુમાનદાદાની ૫૪ ફુટ ઊંચી વિરાટ પ્રતિમાનું અનાવરણ થશે તેમ જ મંદિર પરિસરમાં નિર્માણ પામી રહેલા ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉદ્ઘાટન કરશે.

હનુમાન જયંતી અવસરે ૫ અને ૬ એપ્રિલ દરમ્યાન વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં બે દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લોક ડાયરો, મ્યુઝિક લાઇવ કૉન્સર્ટ સહિતના કાર્યક્રમો યોજાશે. પાંચમી એપ્રિલે સાંજે ૫૪ ફુટ ઊંચી કિંગ ઑફ સાળંગપુરના નામ સાથે હનુમાનદાદાની વિરાટ પ્રતિમાનું આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ તેમ જ સંતોના સાંનિધ્યમાં અનાવરણ વિધિ યોજાશે. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા હનુમાનદાદાનું પૂજન કરવામાં આવશે. ૬ એપ્રિલે ગુજરાતના સૌથી મોટા શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલયનું આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉદ્ઘાટન કરશે. મંદિર પરિસરમાં સમૂહ મારુતિયજ્ઞ પૂજન, પ્રાતઃ પૂજન આરતી, અન્નકૂટ દર્શન, હનુમાનજી જન્મોત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી થશે. આ સમગ્ર મહોત્સવનું લાઇવ પ્રસારણ મંદિરના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પરથી કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

21 March, 2023 12:00 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK