Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > નવરાત્રિના પ્રથમ દિવસે વરસાદ પડતાં ખેલૈયાઓના જીવ તાળવે ચોંટ્યા

નવરાત્રિના પ્રથમ દિવસે વરસાદ પડતાં ખેલૈયાઓના જીવ તાળવે ચોંટ્યા

27 September, 2022 08:43 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

અમદાવાદ, સુરત, ભાવનગર, અમરેલી, ભુજ, અંજાર, જેતપુર સહિતનાં નાનાં-મોટાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો વરસાદ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક) Navratri 2022

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)


કોરોનાના કપરા કાળનાં  બે વર્ષના અંતરાલ બાદ ગુજરાતમાં આ વર્ષે હર્ષોલ્લાસથી નવરાત્રિ પર્વની ઉજવણી માટે સૌ આતુર થઈને બેઠા હતા ત્યારે ગઈ કાલે  નોરતાંના પ્રથમ દિવસે જ અમદાવાદ ઉપરાંત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કેટલાંક સ્થળે વરસાદ પડતાં ખેલૈયાના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે રાત્રે વરસાદ નહીં પડતાં રંગેચંગે નવરાત્રિનો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો અને સૌકોઈ ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા.

અમદાવાદમાં ગઈ કાલે બપોરે કાળાં ડીબાંગ વાદળો છવાઈ ગયાં હતાં. લોકો કંઈ સમજે-વિચારે એ પહેલાં તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. ધોધમાર વરસાદી ઝાપટું પડતાં કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં. અમદાવાદ ઉપરાંત સુરત, બારડોલી, ભાવનગર, ગીર સોમનાથ, ઉના, સુત્રાપાડા, અમરેલી, માળિયા હાટીના, જેતપુર, ધોરાજી, ભચાઉ, ભુજ, અંજાર સહિતના પંથકમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. 


27 September, 2022 08:43 AM IST | Ahmedabad | Shailesh Nayak

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK