Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ થતાં માઈભક્તોમાં આનંદ

અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ થતાં માઈભક્તોમાં આનંદ

16 March, 2023 11:27 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેલ્લા ૧૨-૧૩ દિવસથી અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદનું વિતરણ બંધ થયું હતું.

અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ થતાં માઈભક્તોમાં આનંદ

અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ થતાં માઈભક્તોમાં આનંદ


અમદાવાદ : ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ગઈ કાલથી મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ થતાં માઈભક્તોમાં આનંદ છવાયો છે. છેલ્લા ૧૨-૧૩ દિવસથી અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદનું વિતરણ બંધ થયું હતું. જોકે આ મુદ્દે લોકોનો વિરોધ વધતાં આખરે ગુજરાત સરકારે મંદિરમાં મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાને લીલી ઝંડી આપી હતી. ગઈ કાલે સોનાના થાળમાં અંબે માતાજીને રાજભોગનો મોહનથાળ ધરાવીને ભાવિકોને પ્રસાદ આપવાનો શરૂ કરાયો હતો. દાંતાનો રાજવી પરિવાર મોહનથાળનો પ્રસાદ અને ધ્વજા લઈને અંબાજીના નગરજનો સાથે મંદિરમાં વાજતેગાજતે આવ્યો હતો અને મોહનથાળના પ્રસાદનું વિતરણ કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2023 11:27 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK