° °

આજનું ઇ-પેપર
Friday, 24 March, 2023


માઈભક્તોને મળશે મોહનથાળ

15 March, 2023 10:55 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં પ્રસાદના વિવાદનો અંત, જોકે મોહનથાળની સાથે ચિક્કી પણ અપાશે

અંબાજી ધામ તસવીર મિડ-ડે

અંબાજી ધામ તસવીર મિડ-ડે

અમદાવાદઃ ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં પ્રસાદના વિવાદનો અંત આવ્યો છે. ભાવિકોની આસ્થા અને લાગણીનો પડઘો પડ્યો અને સરકારે નિર્ણય બદલવો પડ્યો છે અને હવેથી માઈભક્તોને મોહનથાળનો પ્રસાદ મળશે. જોકે મોહનથાળની સાથે ચિક્કીનો પ્રસાદ પણ અપાશે. આસ્થાનો વિજય થતાં ગુજરાતમાં અંબાજી સહિત ઠેર-ઠેર માઈભક્તોએ ફટાકડા ફોડીને તેમ જ મોહનથાળનો પ્રસાદ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી.

ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન હૃષીકેશ પટેલે ગઈ કાલે કહ્યું હતું કે ‘સારામાં સારો મોહનથાળ અપાશે; જેમાં મોહનથાળમાં કેટલો ચણાનો લોટ, ઘીનું કેટલું પ્રમાણ, કેટલી ખાંડનું પ્રમાણ એ નિયત કરીને સુંદર પૅકિંગ સાથે મળશે. અત્યારે સિંગદાણા અને માવાની ચિક્કી અને મોહનથાળ પ્રસાદના સ્વરૂપમાં બન્ને ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાઉન્ટર પરથી પ્રસાદનું વિતરણ થશે.’

ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થતાં માઈભક્તો, સ્વૈચ્છિક સંગઠનો, બ્રહ્મ સમાજ સહિતના સમાજો, પૂર્વ રાજવી, વિશ્વ હિન્દુ પરિષદ, કૉન્ગ્રેસ સહિતના ઘણાબધા લોકો અને સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો હતો અને મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવા માગણી કરીને એક પ્રકારે ધીરે-ધીરે જનઆંદોલન છેડીને લડત ચલાવી હતી.

15 March, 2023 10:55 AM IST | Ahmedabad | Shailesh Nayak

અન્ય લેખો

ગુજરાત સમાચાર

ભાવનગરમાં સવા ઇંચથી વધુ કમોસમી વરસાદ

અમદાવાદમાં મોડી સાંજે ભારે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદ ઃ અમરેલી જિલ્લાના ચાર અને પાટણ તથા સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ–ત્રણ તાલુકાઓમાં માવઠું ઃ ખેડૂતોની ચિંતામાં વધારો

24 March, 2023 09:12 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગુજરાત સમાચાર

આરોપીને ઓછી સજા કરવામાં આવે તો પ્રજામાં પણ એનાથી ખોટો મેસેજ જાય છે

મોદી અટક પર રાહુલ ગાંધીની વિવાદિત ટિપ્પણીના કેસનો ચુકાદો આપતાં સુરતના ચીફ જુડિશ્યલ મૅજિસ્ટ્રેટ હરીશ વર્માએ આવું નિરીક્ષણ કર્યું

24 March, 2023 08:54 IST | Mumbai | Shailesh Nayak
ગુજરાત સમાચાર

કોણ છે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી? જેમણે રાહુલ ગાંધીને અપાવી સજા, જાણો

રાહુલ ગાંધી (Rahul Gandhi)ને સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. પરંતુ તમને ખબર છે તેમના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરનાર સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી (Purnesh Modi) કોણ છે? જેણે રાહુલ ગાંધીને સજા અપાવી..

23 March, 2023 03:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK