મિની ઇલેક્ટ્રિક ટ્રેન મંદિરનાં કપાટ ખૂલે ત્યારથી બંધ થાય ત્યાં સુધી નિરંતર ચાલતી રહેશે
મિની ઇલેક્ટ્રિક ટ્રેન
દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓ માટે મહાશિવરાત્રિના પાવન અવસરે એક મોટી ખુશખબરી આવી છે. હવે ભક્તોને પાર્કિંગથી મંદિર સુધી પગપાળા લાંબું ચાલવાની જરૂર નહીં પડે. ૧૪ ફેબ્રુઆરીથી સોમનાથ મંદિરના પાર્કિંગથી મંદિરના એન્ટ્રી ગેટ સુધી ચાર મિની ઇલેક્ટ્રિક ટ્રેનોની સુવિધા શરૂ થઈ ગઈ છે. આ ટ્રેનો સતત શ્રદ્ધાળુઓને પાર્કિંગથી મંદિર અને મંદિરથી પાછા પાર્કિંગ સુધી લાવવા-લઈ જવાનું કામ કરે છે. મિની ઇલેક્ટ્રિક ટ્રેન મંદિરનાં કપાટ ખૂલે ત્યારથી બંધ થાય ત્યાં સુધી નિરંતર ચાલતી રહેશે. એક ટ્રેનમાં ૧૮ ભક્તો બેસી શકે એવી વ્યવસ્થા છે.


