Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતે પશ્ચિમ દરિયાકિનારા પર ક્રૂઝ-સર્કિટ માટે મૂક્યો પ્રસ્તાવ

ગુજરાતે પશ્ચિમ દરિયાકિનારા પર ક્રૂઝ-સર્કિટ માટે મૂક્યો પ્રસ્તાવ

Published : 09 July, 2025 12:53 PM | IST | Gandhinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દીવ, વેરાવળ, પોરબંદર, દ્વારકા, જામનગર, ઓખાનો થશે સમાવેશ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુજરાતે પશ્ચિમ દરિયાકિનારા પર સંભવિત ક્રૂઝ-સર્કિટ માટે પ્રસ્તાવ મૂક્યો છે. કોસ્ટલ ટૂરિઝમને વેગ આપવા માટે પ્રસ્તાવિત ક્રૂઝ-સર્કિટમાં દીવ, વેરાવળ, પોરબંદર, દ્વારકા, જામનગર, ઓખાનો સમાવેશ કરવામાં આવ્યો છે.


ક્રૂઝ ભારત મિશન માટે ક્રૂઝ શિપિંગ પૉલિસીની રૂપરેખા નક્કી કરવાના ઉદ્દેશથી ગુજરાત મૅરિટાઇમ બોર્ડ દ્વારા ૬ મેએ યોજાયેલી એક દિવસની વર્કશૉપમાં ગુજરાતે એના પશ્ચિમ દરિયાકિનારા પર વિવિધ સંભવિત ક્રૂઝ-સર્કિટનો પ્રસ્તાવ મૂક્યો હતો. એમાં દીવ, વેરાવળ, પોરબંદર, દ્વારકા, જામનગર, ઓખા અને પડાલા ટાપુ જેવાં મુખ્ય સ્થળો તેમ જ કાર્યરત ઘોઘા–હજીરા રોરો સર્વિસનો પણ  સમાવેશ થાય છે. પ્રસ્તાવિત રૂટને ત્રણ ક્લસ્ટરમાં વિભાજિત કરવામાં આવ્યા છે. એમાં પડાલા ટાપુ–કચ્છનું રણ, પોરબંદર–વેરાવળ–દીવ અને દ્વારકા-ઓખા–જામનગરનો સમાવેશ થાય છે. દરેક ક્લસ્ટર પ્રવાસનને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવ્યું છે. ખાસ તો એ ક્લસ્ટરના ૧૦૦ કિલોમીટરની અંદર મુખ્ય ધાર્મિક, નૈસર્ગિક અને સાંસ્કૃતિક સ્થળોનો સમાવેશ થાય એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે જેથી ક્રૂઝના મુસાફરોને વધુ આકર્ષણ અને મનોરંજનના વિકલ્પ મળી રહે. તાજેતરમાં યોજાયેલી આ વર્કશૉપના માધ્યમથી ગુજરાત માટે એક વ્યાપક અને કાર્યક્ષમ ક્રૂઝ ટૂરિઝમ નીતિ ઘડાય એવી અપેક્ષા છે.


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2025 12:53 PM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK