રૂપાલાની ઉમેદવારી પાછી નહીં ખેંચાય તો રાજપૂત સમાજનું આંદોલન પાર્ટ-ટૂ શરૂ કરવાની ચીમકી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
પરષોત્તમ રૂપાલા સામે ફેલાયેલા રાજપૂત સમાજના રોષને ઠારવા માટે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી તેમ જ ગુજરાત BJPના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાથે ગુજરાત રાજપૂત સમાજની સંકલન સમિતિની કોર કમિટીના સભ્યો સાથે સોમવારે અડધી રાતે થયેલી બેઠકમાં હાલ કોઈ સુખદ ઉકેલ આવ્યો નથી. બીજી તરફ આ બેઠક બાદ સંકલન સમિતિના સભ્યોએ જો પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી નહીં ખેંચાય તો રાજપૂત સમાજનું આંદોલન પાર્ટ-ટૂ શરૂ થશે અને BJPની સભાઓમાં શાંત વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.