Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > નલ સે જલ યોજના સામે બીજેપીના વિધાનસભ્યએ ઉઠાવ્યા પ્રશ્ન

નલ સે જલ યોજના સામે બીજેપીના વિધાનસભ્યએ ઉઠાવ્યા પ્રશ્ન

09 May, 2023 12:34 PM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મારા મતવિસ્તારમાં જ્યાં-જ્યાં મને ખામી જણાઈ છે, જ્યાં-જ્યાં મેં તપાસ કરી છે, જ્યાં-જ્યાં બરાબર કામ નથી થયું ત્યાં એ કામ માટે મેં ફોટો સાથે તપાસ માટે મોકલ્યું છે.’

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


ગુજરાતમાં ચાલતી સરકારી યોજના નલ સે જલ સામે ખુદ બીજેપીના વિધાનસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા આહીર ઉર્ફે જેઠા ભરવાડે પ્રશ્નો ઉઠાવ્યા છે અને પંચમહાલ જિલ્લામાં આવેલા પોતાના મતવિસ્તાર શહેરામાં નલ સે જલ યોજનામાં વાસ્મોના કામમાં ગેરરીતિ આચરાયાના આરોપ સાથે સોશ્યલ મીડિયા પેજ પર પોસ્ટ વાઇરલ કરી છે.

ગુજરાતમાં ચાલતી સરકારી યોજના નલ સે જલમાં ગેરરીતિના મુદ્દે જેઠા ભરવાડે ગઈ કાલે મીડિયાને કહ્યું હતું કે ‘આ દેશના વડા પ્રધાન ગરીબ માણસો માટે વિચારી રહ્યા હોય અને નલ સે જલ યોજના બનાવી હોય અને એ યોજના જ્યારે સક્સેસફુલ ન જાય એમાં સરકાર બદનામ થાય. સરકાર બદનામ ન થાય અને લોકોને પાણી મળી રહે એ માટે મેં તપાસ કરવા કાગળ લખ્યાં છે અને તપાસ ચાલુ છે. મારા મતવિસ્તારમાં જ્યાં-જ્યાં મને ખામી જણાઈ છે, જ્યાં-જ્યાં મેં તપાસ કરી છે, જ્યાં-જ્યાં બરાબર કામ નથી થયું ત્યાં એ કામ માટે મેં ફોટો સાથે તપાસ માટે મોકલ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2023 12:34 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK