સાબરમતી જેલમાંથી બહાર નીકળતાંની સાથે જ હાર્દિક પટેલની થઈ ફરી ધરપકડ
હાર્દિક પટેલ
રાજદ્રોહ કેસમાં સાબરમતી જેલમાંથી બહાર નીકળતાંની સાથે જ હાર્દિક પટેલની માણસા પોલીસે જાહેરનામાના ભંગ બદલ ધરપકડ કરી છે. હાલમાં હાર્દિકને ગાંધીનગર એલસીબી ખાતે લઈ જવામાં આવ્યો છે. ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે.
રાજદ્રોહ કેસમાં સેશન્સ કોર્ટે બુધવારે હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કર્યા હતા. બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે હાર્દિકને શરતી જામીન આપ્યા હતા. તેમ જ કોર્ટે હાર્દિકને હવે પછી કેસની તારીખમાં ફરજિયાત હાજર રહેવાનો આદેશ કર્યો હતો. જ્યારે હાર્દિકના વકીલે કોર્ટમાં બાંહેધરી આપી હતી કે હાર્દિક હવે ફરીથી આવી ભૂલ કરશે નહીં. આમ હાર્દિક રાજદ્રોહ કેસમાં શરતી જામીન મળતાં જેલ બહાર આવ્યો હતો.