Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વહેલી સવારે કચ્છમાં ધ્રુજી ધરતી: 4.2 તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિ નહીં

વહેલી સવારે કચ્છમાં ધ્રુજી ધરતી: 4.2 તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિ નહીં

30 January, 2023 10:34 AM IST | Gandhinagar
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગાંધીનગર સ્થિત ISRએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે સવારે 6.38 વાગ્યે 4.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો અને તેનું કેન્દ્ર કચ્છના દુધઇ ગામથી 11 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સોમવારે (30 જાન્યુઆરી) સવારે ગુજરાત (Gujarat)ના કચ્છ (Kutch) જિલ્લામાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સિસ્મોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (ISR)એ આ જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું હોવાની હાલ માહિતી મળી નથી.

ગાંધીનગર સ્થિત ISRએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે સવારે 6.38 વાગ્યે 4.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો અને તેનું કેન્દ્ર કચ્છના દુધઇ ગામથી 11 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું. તે પહેલા સવારે 5.18 કલાકે 3.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ જિલ્લાના ખાવડા ગામથી 23 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં હતું, ISR એ જણાવ્યું હતું.



કચ્છ, જે અમદાવાદથી લગભગ 400 કિમી દૂર છે, તે અત્યંત જોખમી ધરતીકંપના ક્ષેત્રમાં આવેલું છે અને ત્યાં ઓછી તીવ્રતાના ધરતીકંપો નિયમિતપણે આવે છે. આ જિલ્લામાં જાન્યુઆરી 2001માં વિનાશક ભૂકંપ આવ્યો હતો, જેમાં 13,800 લોકો મૃત્યુ પામ્યા હતા. આ સાથે લગભગ 1.67 લાખ લોકો ઘાયલ થયા હતા. ભૂકંપના કારણે જિલ્લાના વિવિધનગરો અને ગામડાઓમાં મિલકતોને ભારે નુકસાન થયું હતું.


આ રાજ્યોમાં 24 જાન્યુઆરીએ ભૂકંપ આવ્યો હતો ભૂકંપ

આ પહેલાં 24 જાન્યુઆરીએ દિલ્હી-NCR તેમ જ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 5.8 હતી અને ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું, જેની ઊંડાઈ જમીનથી 10 કિલોમીટર નીચે હતી.


આ પણ વાંચો: વધુ એકવાર AIR Indiaની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, હવે આ બન્યું કારણ

5 જાન્યુઆરીએ પણ ધ્રુજી ધરતી

5 જાન્યુઆરીએ દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં પણ ધરતી ધ્રુજી ઊઠી હતી. ત્યાં પણ લોકોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી. ગયા વર્ષે એટલે કે 2022માં ભારતમાં 400થી વધુ ભૂકંપ નોંધાયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

30 January, 2023 10:34 AM IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK