Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > મોરબી બ્રિજ હોનારતના કેસમાં ૧૨૦૦ પેજની ચાર્જશીટ દાખલ કરવામાં આવી

મોરબી બ્રિજ હોનારતના કેસમાં ૧૨૦૦ પેજની ચાર્જશીટ દાખલ કરવામાં આવી

28 January, 2023 11:04 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ચાર્જશીટમાં મુખ્ય આરોપી અને ‘ભાગેડુ’ તરીકે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલનું નામ ઉમેરવામાં આવ્યું

ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ

ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ


મોરબી (પી.ટી.આઇ.) ઃ ગુજરાતના મોરબીમાં ગયા વર્ષે ઑક્ટોબરમાં હૃદયને હચમચાવી નાખનારી સસ્પેન્શન બ્રિજ હોનારતના કેસમાં પોલીસે ગઈ કાલે ચાર્જશીટ દાખલ કરી હતી. આ હોનારતમાં ઓછામાં ઓછા ૧૩૫ જણનાં મૃત્યુ થયાં હતાં. 
આ કેસના તપાસ ઑફિસર ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ પી. એસ. ઝાલા દ્વારા મોરબી સેશન્સ કોર્ટમાં ૧૨૦૦થી વધુ પાનાંની આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. 
આ કેસમાં નવ આરોપીઓ પહેલાંથી જ જેલમાં છે. તેમના સિવાય આ ચાર્જશીટમાં દસમા આરોપી તરીકે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલનું નામ પણ છે. આ બ્રિજનું સંચાલન જયસુખ પટેલ કરતા હતા. ચાર્જશીટમાં મુખ્ય આરોપી અને ‘ભાગેડુ’ તરીકે જયસુખ પટેલનું નામ છે. 
મૅજિસ્ટ્રેટની કોર્ટે પહેલાં જ ૨૦૨૨ની ૩૦ ઑક્ટોબરે થયેલી આ બ્રિજ હોનારતના કેસના સંબંધમાં જયસુખ પટેલની વિરુદ્ધ અરેસ્ટ વૉરન્ટ ઇશ્યુ કર્યું છે. જયસુખની આગોતરા જામીન માટેની અરજી પર પહેલી ફેબ્રુઆરીએ સુનાવણી કરવામાં આવશે. 
મચ્છુ નદી પરના અંગ્રેજોના સમયગાળાના આ સસ્પેન્શન બ્રિજના સંચાલન અને મેઇન્ટેનન્સની જવાબદારી અજંતા મૅન્યુફૅક્ચરિંગ લિમિટેડ (ઓરેવા ગ્રુપ)ની હતી.


Whatsapp-channel Whatsapp-channel

28 January, 2023 11:04 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK