ચિલ્કા સરોવરના કિનારે બન્યું છે રંગબેરંગી માછલીઓનું મ્યુઝિયમ
રંગબેરંગી માછલીઓનું મ્યુઝિયમ
ઓડિશામાં દરિયાના પાણીના ભરાવાથી બનેલું ચિલ્કા સરોવર દેશનું સૌથી મોટું તથા વિશ્વનું બીજા ક્રમે આવતું સમુદ્રી સરોવર છે. આ સરોવરનું પાણી સામાન્ય દિવસોમાં ખારું હોય છે, પણ વરસાદના દિવસોમાં એ પૂર્ણત: મીઠું બની જાય છે. ઇન્ડિયન ફૉરેસ્ટ ઑફિસર સુશાંત નંદાએ પોતાના ટ્વિટર-હૅન્ડલ પર એક ફોટો પોસ્ટ કરતાં કૅપ્શન આપી છે, ‘કોરોના વાઇરસની મહામારીમાં અમે ચિલ્કા સરોવરના કિનારે રંગબેરંગી માછલીઓનું મ્યુઝિયમ બનાવ્યું છે.’
આ સરોવરમાંની માછલીની ૩૩૦ પ્રજાતિ તેમ જ ચિલ્કાની ૧૨ પ્રજાતિની માછલીઓ લગભગ બે લાખ માછીમારોના પરિવારનું ભરણપોષણ કરે છે તેમ જ ઓડિશાના દરિયાઈ નિકાસની આવકમાં લગભગ ૨૦ ટકાનો હિસ્સો ધરાવે છે.
આટલું સરસ મ્યુઝિયમ તૈયાર કરવા માટે સોશ્યલ મીડિયા પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે.