Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચિલ્કા સરોવરના કિનારે બન્યું છે રંગબેરંગી માછલીઓનું મ્યુઝિયમ

ચિલ્કા સરોવરના કિનારે બન્યું છે રંગબેરંગી માછલીઓનું મ્યુઝિયમ

13 July, 2020 12:10 PM IST | Mumbai Desk
Mumbai correspondent

ચિલ્કા સરોવરના કિનારે બન્યું છે રંગબેરંગી માછલીઓનું મ્યુઝિયમ

રંગબેરંગી માછલીઓનું મ્યુઝિયમ

રંગબેરંગી માછલીઓનું મ્યુઝિયમ


ઓડિશામાં દરિયાના પાણીના ભરાવાથી બનેલું ચિલ્કા સરોવર દેશનું સૌથી મોટું તથા વિશ્વનું બીજા ક્રમે આવતું સમુદ્રી સરોવર છે. આ સરોવરનું પાણી સામાન્ય દિવસોમાં ખારું હોય છે, પણ વરસાદના દિવસોમાં એ પૂર્ણત: મીઠું બની જાય છે. ઇન્ડિયન ફૉરેસ્ટ ઑફિસર સુશાંત નંદાએ પોતાના ટ્વિટર-હૅન્ડલ પર એક ફોટો પોસ્ટ કરતાં કૅપ્શન આપી છે, ‘કોરોના વાઇરસની મહામારીમાં અમે ચિલ્કા સરોવરના કિનારે રંગબેરંગી માછલીઓનું મ્યુઝિયમ બનાવ્યું છે.’
આ સરોવરમાંની માછલીની ૩૩૦ પ્રજાતિ તેમ જ ચિલ્કાની ૧૨ પ્રજાતિની માછલીઓ લગભગ બે લાખ માછીમારોના પરિવારનું ભરણપોષણ કરે છે તેમ જ ઓડિશાના દરિયાઈ નિકાસની આવકમાં લગભગ ૨૦ ટકાનો હિસ્સો ધરાવે છે.
આટલું સરસ મ્યુઝિયમ તૈયાર કરવા માટે સોશ્યલ મીડિયા પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

13 July, 2020 12:10 PM IST | Mumbai Desk | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK