Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારતે સ્વદેશી ક્રૂઝ મિસાઇલ નિર્ભયનું સફળ પરીક્ષણ કર્યું

ભારતે સ્વદેશી ક્રૂઝ મિસાઇલ નિર્ભયનું સફળ પરીક્ષણ કર્યું

16 April, 2019 11:44 AM IST |

ભારતે સ્વદેશી ક્રૂઝ મિસાઇલ નિર્ભયનું સફળ પરીક્ષણ કર્યું

મિસાઇલ નિર્ભય

મિસાઇલ નિર્ભય


ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક સફળતા હાંસલ કરી છે. ભારતે આજે ૧૦૦૦ કિલોમીટરની મારકક્ષમતા ધરાવતી સ્વદેશી સબ સોનિક ક્રૂઝ મિસાઇલ નિર્ભયનું સફળ પરીક્ષણ કર્યું છે. ઓડિશા તટીય વિસ્તારમાં એનું પરીક્ષણ કરાયું હતું.

આ મિસાઇલના સફળ પરીક્ષણ બાદ એને હવે ટૂંક સમયમાં ભારતીય સેનામાં સામેલ કરવામાં આવશે. ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન દ્વારા આ મિસાઇલનું નિર્માણ કરાયું છે.



આ પણ વાંચો : યોગી 72 અને માયાવતી 48 કલાક ચૂંટણીપ્રચાર કરી શકશે નહીં


આ મિસાઇલની મારકક્ષમતા અમેરિકાની ટોમહોક મિસાઇલની બરાબરી કરે છે. નિર્ભય મિસાઇલ એની સાથે ૩૦૦ કિલોગ્રામ સુધીના વૉરહેડને લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઇલ ખૂબ જ ચોકસાઈ સાથે લક્ષ્યને વીંધી નાખવાની કાબેલિયત ધરાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2019 11:44 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK