Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આતંકવાદી હુમલાની દહેશતથી સોમનાથ, ઓખા-દ્વારકામાં સુરક્ષા ગોઠવાઈ

આતંકવાદી હુમલાની દહેશતથી સોમનાથ, ઓખા-દ્વારકામાં સુરક્ષા ગોઠવાઈ

01 September, 2019 09:51 AM IST | સોમનાથ

આતંકવાદી હુમલાની દહેશતથી સોમનાથ, ઓખા-દ્વારકામાં સુરક્ષા ગોઠવાઈ

સોમનાથ

સોમનાથ


કચ્છના સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પાકિસ્તાની મરીન કમાન્ડો ઘૂસ્યા હોવાના ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા, દ્વારકાની દરિયાઈ પટ્ટી અને રાજુલા-જાફરાબાદ પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તથા દરિયામાં મરીન પોલીસ, કસ્ટમ, કોસ્ટગાર્ડ, સીઆઇએસએફ સહિતની એજન્સીઓના અધિકારીઓ દ્વારા માછીમારી બોટનું ચેકિંગ અને ઘૂસણખોરો પર નજર રાખવામાં આવી રહી છે.

પાકિસ્તાન દ્વારા તૈયાર કરાયેલા મરીન કમાન્ડો કચ્છના દરિયાઈ વિસ્તારમાં પ્રવેશ્યા હોવાના પગલે તમામ સુરક્ષા એજન્સીઓને અલર્ટ કરી દેવામાં આવી છે. જામનગર દરિયાઈ વિસ્તારોમાં મરીન પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા અલર્ટતા દાખવવામાં આવી રહી છે અને સ્થાનિક પોલીસ દ્વારા વાહન ચેકિંગ સહિતની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે તથા દરિયાઈ પટ્ટી પર મરીન પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.



આ પણ વાંચો : અલ્પેશ ઠાકોર રાધનપુરથી ચૂંટણી લડશે : જિતુ વાઘાણી


જામનગર અને દ્વારકા જિલ્લામાં કસ્ટમ અધિકારીઓને અલર્ટ કરી દેવામાં આવ્યા છે જેના ભાગરૂપે ખંભાળિયા, સલાયાના કસ્ટમ અધિકારીના નેજા હેઠળ દરિયાઈ વિસ્તાર તથા હાઇવે પર રાઉન્ડ ધ કલોક પૅટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને માછીમારોની ખરાઈ કરવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2019 09:51 AM IST | સોમનાથ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK