નરેન્દ્ર મોદી-અમિત શાહ કૃષ્ણ-અર્જુનની જોડી : રજનીકાંત
Mumbai : બોલીવુડ અને તમિલ સુપરસ્ટાર રજનીકાંત ફરી ચર્ચામાં આવ્યો છે. રજનીકાંતે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું સમર્થન કર્યું છે. રજનીકાંતના મતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. તેમણે મોદી શાહને કૃષ્ણ અને અર્જુનની જોડી ગણાવ્યા હતા.
રજનીકાંતે કાશ્મીર પર સરકારના નિર્ણયને મિશન કાશ્મીર કહ્યું છે. તેમણે આ વાત ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના પુસ્તકના લોન્ચિંગ ઈવેન્ટમાં કરી હતી. તેમણે સંસદમાં આપેલા અમિત શાહના ભાષણની પણ પ્રસંશા કરી હતી અને કહ્યું કે, હવે લોકોને ખબર પડશે કે શાહ કોણ છે.
ADVERTISEMENT
આ પણ જુઓ : પ્રેગ્નેન્સીના 33માં અઠવાડિયે એમી જેક્સને કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો
શાહે કહ્યું કે, કાશ્મીરમાં આતંકનો અંત આવશે
આ પહેલા શાહે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, અનુચ્છેદ 370 નાબૂદ કરવાના નિર્ણયથી જમ્મુ-કાશ્મીરમાં આતંકનો અંત આવશે. આનાથી રાજ્યની વિકાસની ગતિમાં આગળ વધશે. શાહે વધુમાં કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે જમ્મુ કાશ્મીરમાંથી વિશેષ દરજ્જો હટાવો જોઈએ કારણ કે તેનાથી દેશને કોઈ ફાયદો ન હતો.