રાજકીય માળખા દ્વારા જ ભ્રષ્ટાચાર સામે લડી શકાય : રાહુલ
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ નવી દિલ્હી ખાતે યુવા કૉન્ગ્રેસની બેઠકમાં આ બયાન કર્યું હતું. અણ્ણા હઝારેએ ૧૩ ઑક્ટોબરે હરિયાણાના હિસાર લોકસભા મતવિસ્તારમાં યોજાનારી પેટાચૂંટણીમાં કૉન્ગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરવાની ધમકી આપી એ જ દિવસે કૉન્ગ્રેસ મહાસચિવનું આ બયાન આવ્યું હતું. જોકે તેમણે તેમના વકતવ્યમાં કોઈનું પણ નામ લીધું નહોતું.
કૉન્ગ્રેસ માટે રાહુલ ગાંધી ભાવિ નેતા : પ્રણવ
કેન્દ્રીય નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ ગઈ કાલે કહ્યું હતું કે અમે હંમેશાં નવા નેતૃત્વની તરફેણ કરીએ છીએ અને રાહુલ ગાંધી અમારા ભાવિ નેતા છે. બીજેપી પણ નવા ચહેરાની શોધમાં છે ત્યારે તેમણે કહ્યું હતું કે બીજેપી શું કરી રહી છે એ તેમની આંતરિક બાબત છે.