Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વિજય માલ્યા, નીરવ મોદી સહિત 70 કૌભાંડી દેશ છોડીને નાસી છૂટ્યા છે

વિજય માલ્યા, નીરવ મોદી સહિત 70 કૌભાંડી દેશ છોડીને નાસી છૂટ્યા છે

08 February, 2020 10:32 AM IST | New Delhi

વિજય માલ્યા, નીરવ મોદી સહિત 70 કૌભાંડી દેશ છોડીને નાસી છૂટ્યા છે

વિજય માલ્યા અને નીરવ મોદી

વિજય માલ્યા અને નીરવ મોદી


વિદેશ મંત્રાલયે લોકસભાને જણાવ્યું કે કુલ ૭૦ ભારતીયો જેમના પર નાણાકીય અનિયમિતતા અને છેતરપિંડીનો આરોપ છે એ તમામ વિદેશમાં છે અને દેશમાં પાછા લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અનેક કેસમાં આરોપીઓના પ્રત્યાર્પણના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ પ્રક્રિયા કાયદાકીય રીતે જટિલ હોય છે. સરકારે જણાવ્યું કે છેતરપિંડી કરીને દેશમાંથી ફરાર થઈ જનારા આરોપીઓમાં પુષ્પેષ બૈદ, આશિષ જોબનપુત્રા, વિજય માલ્યા, સની કાલરા, સંજય કાલરા, એસ. કે. કાલરા, વર્ષા કાલરા, જતીન મહેતા, ઉમેશ પારેખ, કમલેશ પારેખ, નીલેશ પારેખ, એકલવ્ય ગર્ગ, વિનય મિત્તલ, નીરવ મોદી, નીશાલ મોદીનાં નામ સામેલ છે.



આ ઉપરાંત મેહુલ ચોકસી, સબ્ય સેઠ, રાજીવ ગોયલ, અલકા ગોયલ, લલિત મોદી, નીતિન જયંતીલાલ સાંડેસરા, દીપ્તિ ચેતનકુમાર સાંડેસરા, રિતેશ જૈન, હિતેશ એન. પટેલ, મયૂરી પટેલ અને પ્રીતિ જોબનપુત્રાનાં નામ પણ સામેલ છે.


Whatsapp-channel Whatsapp-channel

08 February, 2020 10:32 AM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK