ક્રિકેટર નયન મોંગિયા સામે તેની જ માતાની ફરિયાદ
બોરીવલી ર્કોટે જોકે આ બાબતે નયન મોંગિયાને કહ્યું હતું કે આ તમારા ઘરની મૅટર છે એને જન અદાલતમાં રજૂ કરી એનો નિવેડો લાવો. નયન મોંગિયાની મમ્મીએ તેમની ફરિયાદમાં કહ્યું હતું કે તેમના પતિનું બે વર્ષ પહેલાં અવસાન થયું હતું. ત્યાર બાદ તેમનો દીકરો નયન મોંગિયા અને પુત્રવધૂ તેમને યોગ્ય રીતે નથી રાખતાં અને તેમની મારઝૂડ કરે છે, જેને કારણે તેમણે તેમની દીકરીને ત્યાં મુંબઈમાં રહેવું પડે છે. તેમણે કોર્ટમાં અરજી કરતાં કહ્યું હતું કે તેમને દીકરા પાસેથી મન્થ્લી ભરણપોષણ મળવું જોઈએ અને તેમણે તેમના સાત લાખ રૂપિયા સારવાર પાછળ ખચ્ર્યા છે એ પણ મળવા જોઈએ. જ્ઞાનદેવીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમના પતિ જે પ્રૉપર્ટી મૂકી ગયા છે એમાંથી પણ નયન તેમને તેમના પતિએ કરેલા વિલ મુજબ ભાગ નથી આપતો.
જોકે સામે પક્ષે નયન મોંગિયાના વકીલ ક્ષિતિજ મહેતાએ કહ્યું હતું કે સૌથી પહેલાં અમે કોર્ટના જુરિસ્ડિક્શન પર સવાલ કરીએ છીએ, કારણ કે અમે વડોદરાના રહેવાસી છીએ તો બોરીવલી કોર્ટમાં કઈ રીતે આ ફરિયાદ થઈ શકે. બીજું, તેમણે એ આરોપ પણ ફગાવી દીધો હતો કે તેની મમ્મી પર અત્યાચાર કરવામાં આવે છે. દરમ્યાન ર્કોટે જ્ઞાનદેવીને કહ્યું હતું કે તેમના પર કઈ રીતે અત્યાચાર થયો એ કોર્ટને સમજાવે. જોકે આ બાબત હવે આગલી સુનાવણી પર ઠેલવામાં આવી છે.