મન કી બાતઃPM મોદીએ કહ્યું,'આગામી મન કી બાત હવે ચૂંટણી બાદ'
વડાપ્રધાન મોદીએ કરી મન કી બાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 53મી વખત 'મન કી બાત' કરી. હાલના કાર્યકાળમાં છેલ્લી મન કી બાદમાં તેમણે પુલવામા હુમલાનો ઉલ્લેખ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી, તો જવાનોની વીરતાનો ઉલ્લેખ કર્યો.
પીએમ મોદીએ કહ્યું કે,'પુલવામા હુમલા બાદ ભારતને કૂટનીતિક સ્તરે મોટી સફળતા મળી છે. મુસ્લિમ દેશોના સંગઠને તેમના 46મા સત્રમાં સામેલ થવા માટે ભારતને આમંત્રણ આપ્યું છે.' તેમણે કહ્યું,'ભારત માતાની રક્ષામાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર દેશના તમામ વીર સપૂતોને હું નમન કરું છું. આ શહીદી આતંકને મૂળથી નષ્ટ કરવા માટે પ્રેરણા આપશે. અમારા સંકલ્પને વધુ મજબૂત કરશે.'
ADVERTISEMENT
પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું,'પુલવામા હુમલા બાદ દેશભરમાં લોકોના મનમાં આઘાત અને આક્રોશ છે. આપણા સશસ્ત્ર દળો હંમેશા અદ્વિતીય સાહસ અને પરાક્રમ દેખાડતા આવ્યા છે. અને હુમલાખોરોને તેમની જ ભાષામાં જવાબ અપાયો છે.'
તો દેશના યુવાનોને સંબોધીને પીએમ મોદીએ કહ્યું કે,'દેશના શહીદ સૈનિકોના પરિવારોએ જે ભાવના દર્શાવી છે તેને સમજવાનો પ્રયાસ કરો. દેશભક્તિ શું હોય છે ? ત્યાગ તપસ્યા શું હોય છે, તેના માટે ઈતિહાસમાં જવાની જરૂર નથી. અત્યાર સુધી મને આશ્ચર્ય હતું કે દેશમાં કોઈ નેશનલ વૉર મેમોરિયલ કેમ નથી. હવે મેં નિશ્ચય કર્યો છે કે કે એક સ્મારક જરૂર હોવું જોઈએ.'
તો વડાપ્રધાન મોદીએ જમશેદજી ટાટાનો પણ ઉલ્લેખ કર્યો. જમશેદજી ટાટાના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું,'તેમણે દેશને મોટી પ્રતિષ્ઠિત સંસ્થાઓ આપી. તેઓ જાણતા હતા કે ભારતને સાયન્સ, ટેક્નોલોજી અને ઈન્ડસ્ટ્રીનું હબ બનાવવું જરૂરી છે.' તો પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈને પણ યાદ કર્યા.
આ પણ વાંચોઃ પાક. સામે હિસાબ પૂરો કરવાની ચેતવણી બાદ PMએ કરી રાજનાથસિંહ સાથે બેઠક
છેલ્લે વડાપ્રધાન મોદીએ ચૂંટણી વિશે પણ વાત કરી. તેમણે ચૂંટણીને લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ ગણાવ્યો અને કહ્યું કે આગામી 2 મહિના આપણે બધા ચૂંટણીમાં વ્યસ્ત હોઈશું. હું પણ આ ચૂંટણીમાં એક ઉમેદવાર હોઈશ. એટલે લોકશાહીની પરંપરાનું સન્માન કરતા હવે મન કી બાદ મે મહિનાના છેલ્લા રવિવારે કરીશ.