SCO summit: જ્યારે આમને સામને થયા પીએમ મોદી અને ઇમરાન ખાન
ઈમરાન ખાન સાથે નરેન્દ્ર મોદીની કોઈ મુલાકાત નહી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ કિર્ગિસ્તાનમાં SCO સમીટમાં પહોંચ્યા છે. ત્યારે નરેન્દ્ર મોદીએ છેલ્લા 2 દિવસમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશીયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી હતી. તથા તેમની સાથે બેઠક પણ યોજી હતી. પરંતુ તમામની નજર આ સમીટમાં હાજરી આપવા પહોંચેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હતી. છેલ્લા ઘણા સમયથી બંને દેશો વચ્ચે તંગ માહોલ ચાલી રહ્યો છે. ત્યારે આ બંને દેશના વડાપ્રધાન આ સમીટમાં હાજર હોવાથી તમામ લોકોની નજર આ બંને વડાપ્રધાન પર ટકી હતી.
જ્યારે પીએમ મોદી અને ઇમરાન ખાનની એન્ટ્રી એક જ સમયે થઇ
ADVERTISEMENT
કિર્ગિસ્તાનમાં યોજાઇ રહેલ SCO સમિટમાં ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાન પણ પહોંચ્યા હતા. આ બેઠકમાં માનવામાં આવી રહ્યું હતું કે નરેન્દ્ર મોદી અને ઈમરાન ખાન એક બીજાને મળશે અને વાતચીત કરશે. પણ મળી રહેલી માહિતી પ્રમાણે પીએમ મોદી અને ઇમરાન ખાન બંનેએ ડિનર સમયે એક જ સમયે એન્ટ્રી લીધી હતી. એટલું જ નહી બન્ને એકબીજા સાથે હાથ મિલાવવાનું તો દૂર એકબીજા સાથે નજરો પણ મિલાવી હતી નહી.
ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રાલય દ્વારા પહેલાથી જ સાફ કરી દેવામાં આવ્યું હતું કે પીએમ મોદી અને પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન વચ્ચે કોઈ પણ મુલાકાત થશે નહી. બીજીવાર વડાપ્રધાન બન્યા પછી પીએમ મોદી ગુરુવાર સવારે ઓમાન પહોચ્યા હતા. ત્યાર બાદ ઈરાન અને મધ્ય એશિયાઈ દેશોના રસ્તે પહોંચ્યા હતા. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિર્ગિસ્તાન પાકિસ્તાનના રસ્તે જવાના હતા. એમણે ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફિંગ સાથે દ્વિપક્ષીય ચર્ચા દરમિયાન પણ તેમણે કહ્યું હતું કે, આ પાકિસ્તાન સાથે વાત કરવાનો યોગ્ય સમય નથી.
સૌથી નીચલા સ્તરે છે ભારત-પાક સંબંધો
આ પહેલા પણ પાકિસ્તાન વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે,પાકિસ્તાનના ભારત સાથે સંબંધ સૌથી નીચલા સ્તરે છે. ઈમરાન ખાને આશા દર્શાવી હતી કે, ભારત-પાકિસ્તાનના સંબંધો વિશે બેસીને વાતચીત કરવી જોઈએ. કાશ્મીર અને અન્ય કેટલાક વિષયો પર નિકાલ લાવવામાં આવે.
આ પણ વાંચો: મંત્રીઓ 9:30 વાગ્યે ઑફિસ પહોંચે, ઘરેથી કામ ન કરે : મોદી
ઈમરાન ખાને SCO સમિટમાં કહ્યું હતું કે, પાકિસ્તાન કોઈ પણ સમસ્યાનું નિવારણ લાવવા માટે તૈયાર છે. પાકિસ્તાન પોતાના પાડોશી દેશ ખાસ કરીને ભારત સાથે શાંતિ ઈચ્છે છે. ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધના કારણે બન્ને દેશોને નુકશાન થયા છે અને ગરીબી ભોગવી રહ્યાં છે.