Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તેલંગણામાં કોરોનાની રસી લીધાના કલાકો બાદ હેલ્થ કૅર વર્કરનું મોત

તેલંગણામાં કોરોનાની રસી લીધાના કલાકો બાદ હેલ્થ કૅર વર્કરનું મોત

21 January, 2021 02:31 PM IST | Hyderabad
Agencies

તેલંગણામાં કોરોનાની રસી લીધાના કલાકો બાદ હેલ્થ કૅર વર્કરનું મોત

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મંગળવારે કોરોનાની રસી લેનાર તેલંગણાના એક હેલ્થ કૅર વર્કરનું બુધવારે મૃત્યુ નીપજ્યું હતું, પરંતુ વહીવટી તંત્રના જણાવ્યા પ્રમાણે મૃત્યુ રસી લેવાથી થયું હોવાનું જણાતું નથી.
પબ્લિક હેલ્થ ઍન્ડ ફૅમિલી વેલ્ફેરના ડિરેક્ટર ડૉ. જી. શ્રીનિવાસ રાવે જણાવ્યું હતું કે હેલ્થ કૅર વર્કરને મંગળવારે સવારે ૧૧.૩૦ વાગ્યે કુંતલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની રસી અપાઈ હતી.
મંગળવારે રાત્રે અઢી વાગ્યે તેને છાતીમાં દુખાવો થયો હતો અને સવારે ૫.૩૦ વાગ્યે તેને જિલ્લા હૉસ્પિટલ લઈ જવાયો ત્યારે તે મૃત્યુ પામ્યો હતો.
પ્રાથમિક તારણો સૂચવે છે કે મૃત્યુને રસી સાથે કશી લેવાદેવા હોય એમ જણાતું નથી. માર્ગદર્શિકા અનુસાર ડૉક્ટરોની ટીમ દ્વારા પોસ્ટમૉર્ટમ કરવામાં આવશે એમ ડિરેક્ટરે જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

21 January, 2021 02:31 PM IST | Hyderabad | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK