નિત્યાનંદ કેસઃકથિત રીતે ગુમ બહેનોને શોધવા પોલીસે ઇન્ટરપોલને નોટિસ મોકલી
સ્વામી નિત્યાનંદ
સ્વામી નિત્યાનંદના આશ્રમમાંથી કથિત રીતે ગુમ બે બહેનોને શોધવા માટે અમદાવાદ ગ્રામીણ પોલીસે હવે ઇન્ટરપોલને બ્લુ કૉર્નર નોટિસ પાઠવવાની કામગીરી શરૂ કરી છે. બે બહેનોને કેદમાં રાખવાના આરોપમાં નિત્યાનંદ સામે પણ ફરિયાદ નોંધાઈ છે અને હાલમાં તેને ફરાર જાહેર કરાયો છે.
આ પણ જુઓઃ PHOTOS: જુઓ બ્લેક આઉટફિટ્સમાં હિના ખાનનો ગોર્જિયસ અવતાર
ADVERTISEMENT
જિલ્લા પોલીસ અધિકારીએ જણાવ્યું કે બ્લુ કૉર્નર નોટિસ ઉપરાંત તેમણે દેશભરનાં ઍરપોર્ટ પર બન્ને બહેનો માટે લુક આઉટ નોટિસ જારી કરી છે. ટોચના પોલીસ-અધિકારીએ જણાવ્યું, બ્લુ કૉર્નર નોટિસ એવા લોકો માટે છે જેને પોલીસ આરોપી તરીકે નહીં પરંતુ પીડિત અથવા સાક્ષી તરીકે શોધી રહી છે. આ અરજી સીઆઇડી દ્વારા મોકલવામાં આવી છે જેને સીબીઆઇને મોકલાશે અને ત્યાર બાદ વિદેશ મંત્રાલય મારફત ઇન્ટરપોલ સુધી.