Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જયંતીભાઈનાં પોસ્ટરો પર મારેલી ચોકડી શું મર્ડરની નિશાની હતી?

જયંતીભાઈનાં પોસ્ટરો પર મારેલી ચોકડી શું મર્ડરની નિશાની હતી?

10 January, 2019 08:15 AM IST | કચ્છ
Rashmin Shah | rashmin.shah@mid-day.com

જયંતીભાઈનાં પોસ્ટરો પર મારેલી ચોકડી શું મર્ડરની નિશાની હતી?

ગૌવંશ બચાવ રેલી યાત્રાના પોસ્ટરમાં જયંતી ભાનુશાળીના ફોટાને ખરડી નખાયો હતો

ગૌવંશ બચાવ રેલી યાત્રાના પોસ્ટરમાં જયંતી ભાનુશાળીના ફોટાને ખરડી નખાયો હતો


પાંચ જાન્યુઆરીએ અબડાસા તાલુકામાં ગોવંશ બચાવ રૅલી યાત્રા અંતર્ગત રાતા તળાવ પાસે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેનાં હોર્ડિંગ્સ અને પોસ્ટર્સ આખા તાલુકામાં લગાવવામાં આવ્યાં હતાં. એમાં ભારતીય જનતા પાર્ટીના અનેક સ્થાનિક આગેવાનોના ફોટો સાથે જયંતી ભાનુશાલીનો ફોટો પણ વાપરવામાં આવ્યો હતો. જોકે એ બધાં પોસ્ટર્સ અને હોર્ડિંગ્સમાં માત્ર જયંતીભાઈના ફોટો પર કાળી ઇન્ક લગાવી દેવામાં આવી હતી. આ કામ બહુ સિસ્ટમૅટિક રીતે થયું હતું. તાલુકામાં લાગેલાં પાંચસો જેટલાં હોર્ડિંગ્સ અને પોસ્ટર્સમાં માત્ર જયંતીભાઈના જ ફોટો પર લગાવવામાં આવેલી એ ચોકડીઓને જોઈને જયંતીભાઈએ વાત હસી કાઢી હતી, પણ હવે જ્યારે તેમનું મર્ડર થઈ ગયું છે ત્યારે આ વાતની ગંભીરતાને તપાસ-અધિકારીઓ જુદી રીતે જોઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ જયંતી ભાનુશાળી હત્યા કેસ- પોલીસે કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન



પોલીસ અધિકારીઓનું માનવું છે કે જયંતીભાઈને આ પ્રકારે ધમકીઓ આપવામાં આવતી હતી, જેને તેમણે ગણકારી નહીં અને એનું પરિણામ એ આવ્યું કે હુમલાખોરો તેમના સુધી પહોંચી ગયા.


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2019 08:15 AM IST | કચ્છ | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK