જયંતીભાઈનાં પોસ્ટરો પર મારેલી ચોકડી શું મર્ડરની નિશાની હતી?
ગૌવંશ બચાવ રેલી યાત્રાના પોસ્ટરમાં જયંતી ભાનુશાળીના ફોટાને ખરડી નખાયો હતો
પાંચ જાન્યુઆરીએ અબડાસા તાલુકામાં ગોવંશ બચાવ રૅલી યાત્રા અંતર્ગત રાતા તળાવ પાસે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેનાં હોર્ડિંગ્સ અને પોસ્ટર્સ આખા તાલુકામાં લગાવવામાં આવ્યાં હતાં. એમાં ભારતીય જનતા પાર્ટીના અનેક સ્થાનિક આગેવાનોના ફોટો સાથે જયંતી ભાનુશાલીનો ફોટો પણ વાપરવામાં આવ્યો હતો. જોકે એ બધાં પોસ્ટર્સ અને હોર્ડિંગ્સમાં માત્ર જયંતીભાઈના ફોટો પર કાળી ઇન્ક લગાવી દેવામાં આવી હતી. આ કામ બહુ સિસ્ટમૅટિક રીતે થયું હતું. તાલુકામાં લાગેલાં પાંચસો જેટલાં હોર્ડિંગ્સ અને પોસ્ટર્સમાં માત્ર જયંતીભાઈના જ ફોટો પર લગાવવામાં આવેલી એ ચોકડીઓને જોઈને જયંતીભાઈએ વાત હસી કાઢી હતી, પણ હવે જ્યારે તેમનું મર્ડર થઈ ગયું છે ત્યારે આ વાતની ગંભીરતાને તપાસ-અધિકારીઓ જુદી રીતે જોઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ જયંતી ભાનુશાળી હત્યા કેસ- પોલીસે કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન
ADVERTISEMENT
પોલીસ અધિકારીઓનું માનવું છે કે જયંતીભાઈને આ પ્રકારે ધમકીઓ આપવામાં આવતી હતી, જેને તેમણે ગણકારી નહીં અને એનું પરિણામ એ આવ્યું કે હુમલાખોરો તેમના સુધી પહોંચી ગયા.