Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 90,123 કેસ, 1,290 દર્દીઓનાં મોત
રેપિડ એન્ટિજન ટેસ્ટ કરતા પાલિકાના કર્મચારીઓ (તસવીર: આશિષ રાજે)
દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જ જાય છે. છેલ્લા કેટલાય દિવસથી દરરોજ સરેરાશ 90,000થી વધુ કેસ નોંધાય છે. જે ઝડપથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે તે જોતા લાગી રહ્યું છે કે, ટૂંક સમયમાં એક જ દિવસમાં આ આંકડો એક લાખને પાર કરી જશે. ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 50 લાખને પાર થઈ ગઈ છે. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 90,123 નવા કેસ નોંધાયા છે અને 1,290 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 50,20,360 કેસ થઈ ગયા છે. જેમાંથી 9,95,933 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 39,42,361 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં 82,961 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 82,066 લોકો મૃત્યુ પામ્યા છે.
મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 20,482 નવા કેસ નોંધાયા છે અને 515 લોકોના મોત થયા છે. જ્યારે 19,423 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 10,97,856 થઈ ગયો છે. તેમાંથી 2,92,174 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 30,409 લોકો મૃત્યુ પામ્યા છે અને 7,75,273 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ADVERTISEMENT
ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓ પ્રમાણે, 1,349 નવા કેસ નોંધાયા હતા અને 17 લોકોના મોત થયા હતા. જ્યારે 1,444 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,16,345 થઈ ગયો છે. જેમાંથી 16,389 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,247 લોકોના મોત થયા છે અને 96,709 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં 15 સપ્ટેમ્બર સુધીમાં કોરોનાના 5,94,29,115 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે મંગળવારે 11,16,842 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ સંખ્યા વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.