Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 48,916 કેસ, 757 દર્દીઓનાં મોત
પ્રતીકાત્મક તસવીર
દેશમાં કોરોના વાયરસ (COVID-19) બેકાબૂ થઈ રહ્યો છે. દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ખરેખરે કોરોનાનો કહેર વર્તાયો છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 48,916 નવા કેસ નોંધાયા છે અને 757 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 13,36,861 કેસ નોંધાયા છે. જેમાંથી 4,56,071 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 8,49,432 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 31,358 લોકો મૃત્યુ પામ્યા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 9,615 નવા કેસ નોંધાયા છે અને 278 લોકોના મોત થયા છે. જ્યારે 5,714 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 3,57,117 થઈ ગયો છે. તેમાંથી 1,44,018 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 12,276 લોકો મૃત્યુ પામ્યા છે અને 1,99,967 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ADVERTISEMENT
ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલુ દિવસોથી સંક્રમિતોનો આંકડો 1,000ને પાર કરી રહ્યો છે. શુક્રવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 1,068નવા કેસ નોંધાયા હતા અને 26 લોકોના મોત થયા હતા. જ્યારે 871 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 53,545 થઈ ગયો છે. જેમાંથી 12,418 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,278 લોકોના મોત થયા છે અને 38,849 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે શુક્રવારે કોરોનાના 4,20,898 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.